નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં આસામથી દિલ્હી સુધી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે વિપક્ષે સરકાર પર હુમલા તેજ કરી દીધા છે. કોંગ્રેસ મહાસચિવે સોમવારે સાંજે ઇન્ડિયા ગેટ પર ધરણા કર્યા હતા. તેઓએ મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું કે, તેઓ દેશની આત્મા પર હુમલો કરી રહ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ પર ધરણા પર બેઠા
પ્રિયંકા ગાંધી જામિયામાં થયેલી હિંસાને લઇને ધરણા પર બેઠા
પોલીસે રવિવારે વિદ્યાર્થીઓ વિરુદ્ધ બળપ્રયોગ કર્યો હતો
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર તાનાશાહી વલણ અપનાવી રહી છે અને દેશ તેમની વિરુદ્ધ લડશે. મીડિયા સાથે વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, યુવાઓ દેશની આત્મા હોય છે. સરકારે દેશની આત્મા પર હુમલો કર્યો છે. વડાપ્રધાન આજ સુધી ઉન્નાવ ગેંગરેપના મામલામાં કેમ બોલતા નથી. તેમની પાર્ટીના એક ધારાસભ્યએ નિર્દોષ દિકરીની સાથે બળાત્કાર કર્યો, તેના પર કેમ બોલતા નથી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે વિજય દિવસ છે. બાંગ્લાદેશ માટે યુદ્ધમાં આજે વિજય મળ્યો હતો. દેશના બંધારણ માટે લોકો શહીદ થયા હતા. આ સરકાર ખોટુ કરી રહી છે. આપણે સૌએ એકજુટ થવું જોઇએ. આ એક્ટ બંધારણની વિરુદ્ધ છે, તેને નષ્ટ કરવાની કોશિશ છે. આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના અન્ય સીનિયર નેતાઓની સાથે ઇન્ડિયા ગેટ પર ધરણા કર્યા.
Priyanka Gandhi Vadra: Govt has given a blow to the Constitution. It's an attack on the soul of the nation, youth is the soul of the nation. It's their right to protest. I'm a mother too. You entered into their library, dragged them out and thrashed them up. This is tyranny. pic.twitter.com/tcOBAGpCea
મહિલાઓની સુરક્ષાના મુદ્દે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ પર ધરણા પર બેઠા છે. પ્રિયંકા ગાંધી આ ઉપરાંત જામિયામાં થયેલી હિંસાને લઇને ધરણા પર બેઠા છે. નોંધનીય છે કે, જામિયામાં પ્રદર્શન દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, દિલ્હી પોલીસે તેઓની ઉપર હુમલો કર્યો, સાથે જ કેમ્પસમાં ટિયર ગેસ છોડવામાં આવ્યા.
પ્રિયંકા ગાંધીની સાથે-સાથે તેમના સમર્થક પણ ધરણા પર બેઠા છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, દેશ ગુંડાઓની જાગીર નથી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ પ્રદર્શન 4 વાગ્યે શરૂ થયું. તેઓ કહ્યું કે, જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એકજુટતા વ્યક્ત કરવાનું છે.
Glimpses of the large number of people that have gathered at India Gate in solidarity with Smt. @priyankagandhi & senior Congress leaders, who are protesting the violence against students. #BJPBurningBharatpic.twitter.com/VfwdNKcWpI
પોલીસે રવિવારે વિદ્યાર્થીઓ વિરુદ્ધ બળપ્રયોગ કર્યો હતો. સંશોધિત કાયદાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન બાદ હિંસક પ્રદર્શન થયા હતા. જેમા બસોને આગ લગાવી દેવાઇ હતી.
Delhi: Priyanka Gandhi Vadra, KC Venugopal, AK Antony, PL Punia, Ahmed Patel, & other Congress leaders sit on a symbolic protest near India Gate over police action during students' protests in Jamia Millia Islamia (Delhi) & Aligarh Muslim University. pic.twitter.com/0E1ske0pGf