કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર જબરદસ્ત નિશાન સાધ્યું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'રાજ્ય સરકાર અને યૂપી પોલીસ કેટલાક એવા પગલા ઉઠાવી રહી છે, જે કાયદાકીય નથી અને તેનાથી અરાજકતા ફેલાઇ શકે છે.'
પ્રિયંકા ગાંધીએ સાધ્યું યોગી આદિત્યનાથ પર નિશાન
પ્રિયંકા ગાંધીએ કહ્યું, UP પોલીસે એવા પગલા કાયદાકીય નથી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'CAA બંધારણની વિરુદ્ધ છે
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'CAA બંધારણની વિરુદ્ધ છે અને જ્યાં-જ્યાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં CAAને લાગૂ કરવામાં આવશે નહીં. તેઓ હિંસાનું સમર્થન કરતા નથી, પરંતુ પ્રદર્શન કરી રહેલા બાળકોની પણ ધરપકડ કરવામાં આવી.' તેઓએ કહ્યું કે 'દેશની આત્મામાં હિંસા અને બદલાની જગ્યા નથી'.
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે CAAના વિરોધમાં ગત 20 ડિસેમ્બરે ભડકેલી હિંસામાં સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડનારા લોકોની સંપત્તિ જપ્ત કરવાની વાત કહી હતી. તેમના આ નિવેદન પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 'યોગી આદિત્યનાથનું નિવેદન બદલો લેવા વાળુ છે. ઇતિહાસમાં પહેલીવાર કોઇ મુખ્યમંત્રીએ આવી ટિપ્પણી કરી છે. તેઓએ કહ્યું કે, આરોપ સાબિત થયા બાદ જ દોષિતોની સંપત્તિ જપ્ત કરવામાં આવે. તેઓએ કહ્યું કે ભગવો હિન્દુ ધર્મનું પ્રતીક છે અને આપણા ધર્મમાં હિંસાની કોઇ જગ્યા નથી.'
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મારી સુરક્ષાનો મુદ્દો મોટો નથી અને તેના પર ચર્ચા કરવાની કોઇ જરૂર નથી. આજે અમે રાજ્યમાં લોકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. પોલીસ સામાન્ય લોકો પર જુલમ કરી રહી છે. બિજનોરમાં બે યુવક પોલીસની ગોળીના શિકાર બન્યા. જ્યારે લખનઉમાં એક પૂર્વ અધિકારીની પોલીસે ધરપકડ કરી, બનારસમાં વિદ્યાર્થીઓ ઉપર પોલીસે અત્યાચાર કર્યો છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ ખોટુ નિવેદન આપ્યું, જેની અસર દેખાઇ રહી છે. ભારત કૃષ્ણ રામનો દેશ છે અને આ દેશમાં આ બધુ થઇ રહ્યું છે, કૃષ્ણએ અર્જુનથી બદલાની વાત યુદ્ધના સમયે પણ નહોતી કરી. હિન્દુ ધર્મમાં બદલાની કોઇ જગ્યા નથી. નોંધનીય છે કે, સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધમાં ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં હિંસક દેખાવો થયા હતા.