ઉત્તરપ્રદેશના સોનભદ્ર જવાની જિદ્દ પર અડેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 24 કલાક સુધી ધરણાં ધર્યા પછી ચુનાર ગેસ્ટ હાઉસની બહાર પીડિતની સાથે મુલાકાત કરવા દીધી.
ગેસ્ટ હાઉસની બહાર પીડિતોએ કહ્યુ કે, તેમણે ગેસ્ટ હાઉસમાં આવવા માટે રોકવામાં આવી રહ્યા છે, જે 15 લોકો છે જેમાં મહિલાઓ પણ શામેલ છે. પ્રિયંકાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યુ કે, ''પ્રશાસન ન તો અમને મળવા દે છે અને પીડિત પરિવારને અહીંયા આવવા માટે રોકી રહ્યુ છે.'' આ સાથે જ તેઓ ફરી ધરણા પર બેસી ગઇ છે. તમને જણાવી દઇએ કે, ગેસ્ટ હાઉસમાં ધરણા ધરતા પ્રિયંકાએ કહ્યુ કે, ''જો પ્રશાસન ઇચ્છે તો ક્યાંય પણ પીડિતોની સાથે મળાવી શકે છે.''
#WATCH Priyanka Gandhi Vadra: Prasashan ko inki (family of victims of Sonbhadra firing case) rakhwali karni chaiye. Jab inke sath hadsa ho raha tha, madad karni chaiye thi. Prasashan ki mansikta meri samaj se bahar hai. Aap unn par thoda dabaw banaiye, aap mere piche pade hain. pic.twitter.com/BIW8ZYnzRF
કોંગ્રેસ મહાસચિવે કહ્યુ કે, ''પીડિતોના માત્ર 2 સંબંધીઓ સાથે મુલાકાત કરવા દીધી, 15 લોકોને મને મળવા ના દીધા. ન તો મને તેમની સાથે મળવાની અનુમતિ આપવામાંઆવી. ભગવાન જાણે શું છે આ પાછળની માનસિકતા? '' પીડિત પરિવારજનો પ્રિયંકા ગાંધીને મળ્યા ત્યારે ખૂબ રડતા હતા. તેમને જોઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંઘી પણ રડી પડ્યા હતા. પ્રિયંકાએ કહ્યુ કે, ''કલમ 144નું ઉલ્લંઘન નથી કરવા ઇચ્છતા, તેમ છતાં સરકાર તેમણે પીડિતોની સાથે મળવા નથી દેતી.''
#WATCH Priyanka Gandhi Vadra: Prasashan ko inki (family of victims of Sonbhadra firing case) rakhwali karni chaiye. Jab inke sath hadsa ho raha tha, madad karni chaiye thi. Prasashan ki mansikta meri samaj se bahar hai. Aap unn par thoda dabaw banaiye, aap mere piche pade hain. pic.twitter.com/BIW8ZYnzRF
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જવા માંગતા હતા. પરંતુ પોલીસ પ્રશાસને તેમને શુક્રવારે મિર્ઝાપુર ગામમાં રોકી લીધા હતા. ત્યારપછી પ્રિયંકાને ચુનાર ગેસ્ટ હાઉસમાં લાવવામાં આવ્યા હતા.
પ્રિયંકા ગાંધી શુક્રવારે રાત્રે પણ ચુનાર ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. આ દરમિયાન તેમણે સતત ટ્વિટ કર્યા હતા. તેમાં તેમણે કહ્યું હતું કે, જો પીડિતોને મળવા માટે સરકાર મને જેલમાં નાખવા માગતી હોય તો હું તેના માટે પણ તૈયાર છું. પ્રિયંકા સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા માગતા હતા. પરંતુ પોલીસ અને પ્રશાસને શુક્રવારે મિર્ઝાપુરના નારાયણપુર ગામમાં જ તેમને રોકી લીધા હતા. ત્યારપછી પ્રિયંકાને ચુનાર ગેસ્ટહાઉસ લઈ જવામાં આવ્યા હતા.