આ લોકસભા ચૂંટણી ઘણા પ્રકારે ઐતિહાસિક ચૂંટણી સાબિત થઇ. આ ચૂંટણીમાં નેહરૂ-ગાંધી પરિવારના સભ્ય પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રીથી કોઇને લાભ થયો નહી.
પ્રિયંકા ગાંધીએ ચૂંટણી શરૂ થયા પહેલાના 3 મહિનામાં જ મોર્ચો સંભાળ્યો હતો. જેની પરિણામો પર કોઈ ખાસ અસર જોવા ન મળી. આ લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ 38 રેલીઓ કરી હતી. જેમાંથી 26 રેલીઓ તેમને માત્ર ઉત્તરપ્રદેશમાં જ કરી હતી. અન્ય રેલીઓ તેમને મધ્યપ્રદેશ, દિલ્હી, ઝારખંડ અને હરિયાણામાં કોંગ્રેસ ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ જેટલી બેઠકો પર પ્રચાર કર્યો હતો, જેમાંથી 97 % બેઠકો કોંગ્રેસ હારી ગઈ હતી.
પ્રિયંકા ગાંધીને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, તેમની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રશ્ચિમી ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. બન્નેને પાર્ટીના મહાસચિવ તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં ત્રિકોણીય મુકાબલો હતો. એક તરફ મજબૂત ભાજપનું ગઠબંધન હતું, તો બીજી તરફ સપા બસપાનું મહાગઠબંધન હતું. આ બન્નેની હાજરીમાં પ્રિયંકા ગાંધી સામે કોંગ્રેસની સત્તા પરત લાવવાનો પડકાર હતો.
ઉત્તરપ્રદેશ હંમેશાથી ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યુ છે. માનવામાં આવે છે કે, દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશથી થઇને જાય છે. પ્રતિનિધિત્વની રીતે જોવામાં આવે તો આ દેશનું સૌથી મોટું રાજ્ય છે જ્યાં લોકસભાની 543માંથી 80 બેઠકો છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં લોકસભાની 41 બેઠકો છે. આ જ વિસ્તારમાં રાજ્યની ઘણી VIP બેઠકો પણ સામેલ છે. જેમ કે પીએમ મોદીની વારાણસી બેઠક, મુખ્યમંત્રી આદિત્યનાથની ગોરખપુર બેઠક, ગાંધી અને નહેરુ પરિવારની અમેઠી અને રાયબરેલીની બેઠકો છે.
હવે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે સ્પષ્ટ છે રે રાજ્યના મતદાતાઓ પર પ્રિયંકા ગાંધીને કોઇ જાદૂના ચાલ્યો. ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનનીની જીત થઇ છે. 2014 કરતાં પણ 2019માં NDAને 352 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને માત્ર 96 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે.. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. નેહરુ ગાંધી પરિવારના ગઢ પર જીત મેળવવામાં આ વખતે ભાજપ સફળ નિવડી છે. કોંગ્રેસ અધ્યક્ષ તેમના ગઢ અમેઠીમાં હારતા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં નિર્ણય આવતા પહેલાં જ તેમને હાર સ્વીકારી લીધી હતી.
જોકે સોનિયા ગાંધી તેમનો ગઢ રાયબરેલીને બચાવવામાં સફળ રહ્યાં છે. કોંગ્રેસને સમગ્ર રાજ્યમાંથી આ જ એક બેઠક પર જીત મળી છે. સપા અને બસપાના મહાગઠબંધનને જોડતા કુલ 15 બેઠકો મળશે. કોંગ્રેસ 67 બેઠકો પર ચૂંટણી લડી રહી હતી.બાકીની અન્ય બેઠકો સહયોગીઓને ફાળવી હતી. એક્ઝિટ પોલ પ્રમાણે, કોંગ્રેસ ઉત્તરપ્રદેશના મતદાતાઓમાં તેમનો પ્રભાવ ન પાડી શક્યા. તો બીજી બાજુ મહાગઠબંધનને મુસ્લિમ અને યાદવ મતદાતાઓએ તો સમર્થન આપ્યું, પરંતુ NDAને જાટ, બિન દલિત અને સવર્ણોના મત મેળવવામાં સફળતા મળી છે.
આ પહેલા 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની માત્ર 2 સીટ જીતી શકી હતી, અમેઠી અને રાયબરેલી. જ્યારે ભાજપને પૂરા પ્રદેશમાં 73 સીટ મળી હતી, ત્યાં સુધી કે 2017માં થયેલા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સપાને સાથે મળીને ચૂંટણી લડી હતી અને આ ગઠબંધનને 403માંથી માત્ર 54 સીટ મળી હતી.