કોંગ્રેસ પાર્ટીનો ગઇકાલે 28 ડિસેમ્બરના રોજ સ્થાપના દિવસ હતો, પરંતુ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે છે. કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતા મુજબ તેઓ પોતાની નાનીની તબિયત જાણવા ભારતમાંથી બહાર ગયા છે. જો કે આ નિવેદન બાદ વિરોધીઓ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું. જેને લઇને કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટતા પણ કરવી પડી.
જો કે આ કોઇ પહેલો અવસર ન હતો કે જ્યારે દેશના રાજકારણમાં આ ચર્ચાનો વિષય ના બન્યો હોય. પોતાના ભાઇ તરફ થઇ રહેલા ચોતરફ નિવેદનોના હુમલા વચ્ચે પ્રિયંકા ગાંધીએ મોર્ચો સંભાળ્યો અને પાર્ટી માટે સંકટમોચકની ભુમિકા અદા કરી.
રાહુલ ગાંધીની ગેરહાજરીમાં કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આગળ આવી અને પાર્ટી મામલાની જવાબદારી લઇ રહી છે. સોમવારે કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસનો સમારોહ હતો. જેમાં ન તો રાહુલ ગાંધી સામેલ થયા અને ન ખરાબ તબિયતને લઇને સોનિયા ગાંધી હાજર રહ્યાં. એવા સમયે પ્રિયંકાએ મોરચો સંભાળ્યો અને કાર્યક્રમમાં હાજરી આપી.
પ્રિયંકા ગાંધીએ ન કાર્યક્રમમાં ભાગ લીધો પરંતુ ખેડૂતોના મુદ્દા પર મીડિયાના સવાલોના જવાબ આપ્યાં. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે ખેડૂતો માટે જે રીતે શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેનો ઉપયોગ કરવું પાપ છે. સરકાર ખેડૂતો માટે જવાબ આપવા કટિબદ્ધ છે. સરકારે તેમની વાત સાંભળવી જોઇએ અને કાયદાઓનો પરત ખેંચવો જોઇએ.
કાર્યક્રમ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓની સાથે વાતચીત કરી નથી. નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ તેમની સાથે અનોખો અહેસાસ થયો. હાજર રહેલા લોકોએ કહ્યું કે પ્રિયંકા ગાંધી પાર્ટીના મુખ્યાલયમાં જ્યારે મુખ્ય પેસેજમાં આવ્યાં ત્યારે તેઓએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને સેવા દળની મહિલા કાર્યકર્તાઓની વાત અને સેલ્ફી પણ લીધી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધીએ 19 ડિસેમ્બરના રોજ સોનિયા ગાંધીના આવાસ પર પાર્ટીની આંતરિક બેઠકમાં સકારાત્મક અને રચનાત્મક ભુમિકા નિભાવી છે. પાર્ટીના જ એક નેતાએ કહ્યું, તેમણે અસંતુષ્ટ નેતાઓને શાંત કર્યા અને તેનાથી પાર્ટીને મજબૂત કરવા માટે એક સાથે કામ કરવાનો આગ્રહ કર્યો.
રાહુલ ગાંધી એવા સમયે વિદેશ યાત્રા પર ગયા છે જ્યારે એક તરફ દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને બીજી તરફ પાર્ટીનો સ્થાપના દિવસ હતો. જેને લઇને કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર ટકોર કરી હતી. આ સિવાય પાર્ટી દ્વારા ગઇકાલે ખેડૂતોના સમર્થનમાં ત્રિરંગા યાત્રા નિકળી હતી. આ સાથે કોંગ્રેસ પક્ષ યુવાઓને પોતાની સાથે જોડીને તેમની 'સેલ્ફી વિથ તિરંગા' નામનું અભિયાન પણ ચલાવ્યું હતું.
ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર ટકોર કરી હતી
રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર રવાના થવા પર ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે તેમના પર ટકોર કરી હતી. ગિરિરાજ સિંહે કહ્યું હતુ કે રાહુલ ગાંધીની ભારતમાં રજા પુરી થઇ ગઇ છે. ગિરિરાજસિંહે ટ્વિટક કરી કહ્યું કે 'ભારતમાં રાહુલ ગાંધી રજા પુરી થઇ ગઇ છે. તેઓ ઇટાલી પરત ફર્યાં છે.'
રાહુલ ગાંધી એવા સમયે દેશની બહાર છે જ્યારે પાર્ટીના સ્થાપના દિવસ અને નવા અધ્યક્ષની પસંદગીને લઇને આંતરિક ચૂંટણી પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. તે સિવાય સોશિયલ મીડિયાપર લોકોનું કહેવું છે કે તેઓ રાજનીતિને લઇને ગંભીર નથી.