કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ GDP ના આંકડાને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ટ્વિટર પર લખ્યું શું અચ્છે દિન આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પ્રિયંકા ગાંધીએ મોદી સરકારની અનેક મુદ્દાઓને લઇને નિંદા કરી હતી.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી મોદી સરકાર પર કર્યા પ્રહાર
મોદી સરકારના તમામ વાયદા ખોટા સાબિત થયા
GDPની રફ્તાર લથડી, 2 કરોડ રોજગારનુ શુ થયુ
પ્રિયંકા ગાંધીએ આજરોજ ટવિટ કરી જણાવ્યું કે વાદા તેરા વાદા.. બે કરોડ રોજગાર દર વર્ષે, પાકની બે ગણા ભાવ, સારા દિવસો આવશે, મેક ઇન ઇન્ડિયા હશે, અર્થ વ્યવસ્થા પાંચ ટ્રિલિયન હશે, શું કોઇ વચન પર હિસાબ મળશે?
પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું છે કે GDP ગ્રોથ 4.5 ટકા થઇ ગયો. જે દર્શાવી રહ્યું છે કે બધા વચન ખોટા છે અને આગળ વધાવાની ઇચ્છા વાળા ભારત અને તેની અર્થવ્યવસ્થાને ભાજપ સરકારે પોતાની નાકામાયાબીને લઇને બરબાદ કરી દીધી છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે GDPની રફતાર લથડી છે. મોદી સરકારના તમામ વાયદા ખોટા સાબિત થયા છે. 2 કરોડ રોજગારનું શું થયું. અચ્છે દિનના વાયદાનું શું થયું.