ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસ લૉકડાઉનમાં ફસાલેયા શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવા માટે બસને લઇને કોંગ્રેસ અને રાજ્યની ભાજપ સરકાર વચ્ચે ખેંચતાણ વધી ગઇ છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના સચિવ સંદીપ સિંહ પર એફઆઇઆર નોંધાઇ છે. ઉત્તરપ્રદેશને બસોનુ લિસ્ટ મોકલવામાં ગરબડનો આરોપ લગાવતા સંદીપ સિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.
શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવા માટે બસને લઇને કોંગ્રેસ અને રાજ્યની ભાજપ સરકાર વચ્ચે ખેંચતાણ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના સચિવ સંદીપ સિંહ પર એફઆઇઆર નોંધાઇ છે
યોગી સરકારનો આરોપ છે કે બસોની લિસ્ટમાં ઓટો, એમ્યુલન્સ, બાઇકના નંબર મળ્યા હતા. કેટલીક બસોના નંબરની પુષ્ટી થઇ શકી નહોતી. જ્યારે કેટલીક બસોના નંબર ચોરીના વાહનના હોવાની આશંકા જાહેર કરાઇ છે. જોકે હાલ તો આ મામલે લખનઉના હજરતગંજ પોલીસે છેતરપિંડીની એફઆઇઆર નોંધાવી છે.
એક તરફ ઉત્તર પ્રદેશમાં બસોની એન્ટ્રીને લઇને કોંગ્રેસ અને યોગી સરકાર સામ-સામે આવી ગઇ છે. એક તરફ જ્યાં આગ્રામાં રાજસ્થાન સીમા પર કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે તો બીજી તરફ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ઉત્તરપ્રદેશ સરકારે હદ કરી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ બસો પર આપ ઇચ્છો તો બીજેપીના બેનર લગાવી દો, તમારા બેનર લગાવી દો, પરંતુ અમારી સેવા ભાવનાને ફગાવશો નહીં.