ઉન્નાવ રેપ પીડિતાના મોત બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો આવ્યો છે. સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ ધરણા પર બેઠા, તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉન્નાવમાં પીડિત પરિવારની મુલાકાત લીધી. પીડિતાના પરિવારજનોએ પ્રિયંકા ગાંધીને જણાવ્યું કે, એક વર્ષથી આરોપીઓએ તેઓના પરિવાર પર ખુબ જ ત્રાસ ગુજાર્યો છે.
ઉન્નાવ રેપ પીડિતાના મોત બાદ અખિલેશ યાદવ ધરણા પર બેઠા
આરોપીઓએ ઘરમાં ઘુસીને રેપ પીડિતાના પિતા સાથે મારપીટ પણ કરી
પીડિતાના પિતાએ પ્રિયંકા ગાંધી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. પીડિતાના પિતાએ કહ્યું કે, એક વર્ષ સુધી પરિવાર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. પરિવારને ધમકી આપવામાં આવી અને પરિવારની બાળકીને સ્કૂલે ન મોકલવાની ધમકી પણ આપવામાં આવી.
શું દોષિતોનો BJP સાથે છે સંબંધ?
પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી ( Priyanka Gandhi ) એ કહ્યું, પરિવારજનોએ તેઓેને જણાવ્યું કે, આરોપીઓએ ઘરમાં ઘુસીને રેપ પીડિતાના પિતા સાથે મારપીટ પણ કરી. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, ગત એક વર્ષથી પીડિતા અને તેના પરિવાર પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. મેં એમ પણ સાંભળ્યું છે કે, દોષિતોનો બીજેપી સાથે સંબંધ છે. રાજ્યમાં ગૂનેગારોમાં કોઇ ડર નથી.
યોગી સરકાર પર સાધ્યુ નિશાન
કોંગ્રેસ મહાસચિવે રાજ્યની બીજેપી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહે છે કે રાજ્યમાં ગૂનેગારો માટે કોઇ જગ્યા નથી. પરંતુ મને લાગે છે કે અહીં મહિલાઓ માટે કોઇ જગ્યા નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તંત્રે જણાવવું પડશે કે આવુ કેમ થઇ રહ્યું છે.
Priyanka Gandhi Vadra on Unnao rape case: Victim's whole family has been constantly harassed since last year. I have heard that the culprits have some BJP connection. That is why they were being shielded. There is no fear among criminals in the state. pic.twitter.com/eDP5QOHXoX
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉન્નાવ રેપ પીડિતાના મોત બાદ ઉત્તર પ્રદેશમાં કાયદા-વ્યવસ્થાને લઇને યોગી આદિત્યનાથ સરકાર પર હુમલો બોલ્યો છે. પ્રિયંકા ગાંધીએ શનિવારે ટ્વિટમાં કહ્યું, હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે, ઉન્નાવ પીડિતાના પરિવારને આ દુ:ખના સમયે હિમ્મત આપે.
તેઓએ કાયદા-વ્યવસ્થાની સ્થિતિને લઇને રાજ્ય સરકારની ટીકા કરી અને કહ્યું, આ આપણા સૌની નિષ્ફળતા છે કે આપણે તેને (પીડિતા) ન્યાય ન અપાવી શક્યા. સામાજિક રીતે આપણે સૌ દોષિ છીએ, પરંતુ આ ઉત્તરપ્રદેશમાં કાયદા-વ્યવસ્થાની કથળેલી હાલત પણ દર્શાવે છે.
પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યા છે કે રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર કેમ વધી રહ્યા છે અને ઉન્નાવમાં ગત ઘટના જોતા પીડિતાને કોઇ સુરક્ષા કેમ આપવામાં ન આવી. તેઓએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં રોજ મહિલાઓ પર જે અત્યાચાર થઇ રહ્યો છે, તેને રોકવા માટે સરકાર શું કરી રહી છે?