કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ મામલામાં ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર રવિવારે કડક ટીકા કરતા આરોપ લગાવ્યા કે, ભાજપ નેતા વિરુદ્ધ બળાત્કારનો મામલો નોંધવામાં આવ્યો નથી અને તંત્ર પૂર્વ કેન્દ્રીય મંત્રીને બચાવી રહ્યું છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોગી સરકાર પર સાધ્યુ નિશાન
પ્રિયંકા ગાંધીએ ભાજપ પર બળાત્કારના આરોપીને બચાવવાનો લગાવ્યો આરોપ
વિદ્યાર્થીનીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે
લૉની વિદ્યાર્થીની એ ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. બાદમાં 23 વર્ષીય વિદ્યાર્થીનીની પાંચ કરોડ રૂપિયા માંગવાના આરોપમાં એસઆઇટીએ (SIT) બુધવારે ધરપકડ કરી હતી. તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ મામલામાં ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની રવિવારે કડક ટીકા કરી. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપ નેતા વિરુદ્ધ બળાત્કારનો મામલો નોંધવામાં આવ્યો નથી અને તંત્ર પૂર્વ કેન્દ્રીય મંત્રીને બચાવી રહ્યું છે.
લૉની એક વિદ્યાર્થીનીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ચિન્મયાનંદ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. તેમના વિરુદ્ધ ભારતીય દંડ સહિંતાની ધારા 376 (C) હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.