કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi)એ ઉત્તર પ્રદેશમાં ગૂનાખોરીની ઘટનાઓેને લઇને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો કે, રાજ્યમાં ગૂનેગાર કોઇપણ જાતના ડર વિના ફરી રહ્યા છે. પરંતુ સરકાર પર કોઇ અસર નથી થઇ રહી. કોંગ્રેસ મહાસચિવે પૂછ્યું કે શું પ્રદેશની ભાજપ સરકારે ગૂનેગારો સામે સમર્પણ કરી દીધું છે?
પૂર્વી ઉત્તરપ્રદેશના કોંગ્રેસ પાર્ટીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, ' આખા ઉત્તરપ્રદેશમાં ગૂનેગાર કોઇપણ ડર વિના પોતાની મનમાની કરતા ખુલ્લા ફરી રહ્યા છે. એક પછી એક ગેરકાનૂની ઘટનાઓે બની રહી છે. પરંતુ રાજ્યની ભાજપ સરકાર પર કોઇ અસર નથી.' એમણે પૂછ્યું કે, 'શું ઉત્તર પ્રદેશ સરકારે ગૂનેગારો સામે આત્મસમર્પણ કરી દીધું છે?
पूरे उत्तर प्रदेश में अपराधी खुलेआम मनमानी करते घूम रहे हैं। एक के बाद एक अपराधिक घटनाएँ हो रही हैं। मगर उ.प्र. भाजपा सरकार के कान पर जूँ तक नहीं रेंग रही।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 29, 2019
આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તરપ્રદેશની ભાજપ સરકારને અપીલ કરી હતી કે પોતાની દિકરીનો ઇલાજ ન કરી શકતા પિતાને તત્કાલ મદદ કરવામાં આવે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરતા કહ્યું કે, લલિતાના પરિવારને ઇલાજ માટે સંભવ તમામ મદદ મળવી જોઇએ.એ ખુબજ શરમજનક છે કે કોઇને આ કારણે ઇચ્છા મૃત્યુની માંગ કરવી પડી રહી છે. જ્યારે તેને પૈસાની તંગીને કારણે ઇલાજ કરાવી શકતા નથી. એમણે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ સરકારથી પરિવારને તત્કાળ મદદ કરવાની અપીલ કરું છું.
ઉત્તર પ્રદેશમાં એપ્લાસ્ટિક અનીમિયાની બાળકીના પિતાએ ઇલાજ ન કરાવી શકતા પોતાના પરિવાર માટે ઇચ્છામૃત્યુંની માંગ કરી હતી.