ઉત્તર પ્રદેશમાં હાલ ગુનાખોરીના મામલાને લઈને યોગી સરકાર વિપક્ષના નિશાના પર રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે યુપીના સીએમ સરકારની સ્પીડ બતાવે છે તો ગુના 2 ગણી સ્પીડથી આગળ આવી જાય છે.
ગુના 2 ગણી સ્પીડથી આગળ આવી જાય છે
યુપીના સીએમ સરકારની સ્પીડ બતાવે છે અને ગુનાનું મીટર ...
છે. યુપી સરકાર વારંવાર ગુના પર પડદો નાંખે છે પરંતુ...
પ્રિયંકાએ ટ્વીટ કરી એક ફોટો શેર કર્યો છે. જેમાં 2 દિવસમાં થયેલા ગુનાનો ઉલ્લેખ છે. પ્રિયંકાએ આ સાથે લખ્યુ છે કે યુપીના સીએમ સરકારની સ્પીડ બતાવે છે અને ગુનાનું મીટર તેનાથી બે ગણી સ્પીડથી ભાગવા લાગે છે.
यूपी के सीएम सरकार की स्पीड बताते हैं और अपराध का मीटर उससे दोगुनी स्पीड से भागने लगता है।
प्रत्यक्षम् किम् प्रमाणम्
ये यूपी में केवल दो दिनों का अपराध का मीटर है। यूपी सरकार बार-बार अपराध की घटनाओं पर पर्दा डालती है मगर अपराध चिंघाड़ते हुए प्रदेश की सड़कों पर तांडव कर रहा है। pic.twitter.com/vaN3J5wG2T
તેમણે લખ્યું છે કે આ યુપીનું ફક્ત બે દિવસના અપરાધનું મીટર છે. યુપી સરકાર વારંવાર ગુના પર પડદો નાંખે છે પરંતુ ગુના બુમો પાડતા રોડ પર તાંડવ કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં રોજ બરોજ ગુનાની ઘટનાઓ સામે આવે છે. અહીનાં બલિયામાં સોમવારે એક પત્રકારની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. જાણવા મળ્યુ છે કે રતનસિંહ એક ખાનગી હિંન્દી ચેનલમાં કામ કરતા હતા. પોલીસે આ મામલામાં તેની સંપત્તિ વિવાદને કારણ ગણાવ્યું છે.
આ પહેલા જૈનપુરમાં રવિવારે અંદરના વિવાદને કારણે 3 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો હતો. અહીં 15 કરોડની જમીનને લઈને 2 પક્ષમાં વિવાદ થયો હતો. આ બાદ 2 પક્ષોના 3 લોકોના મોત થયા હતા.