રાયબરેલીનાં ઉંચાહારમાં સમાજવાદી પક્ષનાં બેનર પોસ્ટર લાગેલા હતાં કે જેમાં સપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની તસ્વીર હતી. એવું જણાવવામાં આવી રહેલ છે કે આ સભા સોનિયા ગાંધીનાં સમર્થનમાં રાખવામાં આવી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરૂવારનાં રોજ રાયબરેલીમાં સમાજવાદી પાર્ટીની એક જનસભાને સંબોધિત કરી હતી.
તેમનાં સમાજવાદી પાર્ટીનાં કાર્યક્રમમાં પહોંચેલ તમામ લોકો હેરાન રહી ગયાં. હકીકતમાં કોંગ્રેસ મહાસચિવ રાયબરેલીનાં ઉંચાહારમાં સમાજવાદી પાર્ટીનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મનોજ કુમાર પાંડેયે એક કાર્યક્રમનું આયોજન કર્યુ હતું કે જેમાં મુખ્ય અતિથિનાં રૂપમાં પ્રિયંકા ગાંધીને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.
Samajwadi Party workers seen at Priyanka Gandhi Vadra's public rally in Raebareli, earlier today pic.twitter.com/D22mwdSw2B
મંચ પર સમાજવાદી પાર્ટીનાં બેનર પોસ્ટર લાગ્યાં હતાં કે જેમાં સપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની તસ્વીર હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ સભા સોનિયા ગાંધીનાં સમર્થનમાં રાખવામાં આવી હતી. એક તરફ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ કોંગ્રેસ પર નિશાન સાધવાનો મોકો નથી છોડી રહ્યાં. પરંતુ પ્રિયંકા ગાંધીનાં સમાજવાદી પાર્ટીનાં કાર્યક્રમમાં પહોંચવાંથી અલગ-અલગ પ્રકારનાં અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ કુમાર પાંડેયનાં કોંગ્રેસમાં સારા એવાં સંબંધ છે કે જેઓએ પ્રિયંકાને પોતાનાં કાર્યક્રમમાં બોલાવ્યાં. બસપા અને સપાએ રાયબરેલીથી કોઇ ઉમેદવાર ન હોતા ઉતાર્યા. એ સ્પષ્ટ છે કે બંને દળ સોનિયા ગાંધીને સમર્થન આપી રહ્યાં છે.
બહરહાલ રાયબરેલીનાં ઉંચાહારમાં જે કાર્યક્રમને સંબોધિત કર્યા કે જેમાં સમાજવાદી પાર્ટીનાં કાર્યકર્તા હાજર હતાં. સમર્થક સમાજવાદી પાર્ટીની લાલ ટોપી પહેરવાની નજરે આવી. પ્રિયંકા ગાંધીનું આ નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યો હતો કે જેમાં તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસે અનેક સીટોં પર બીજેપીની હાર સુનિશ્ચિત કરવા માટે તેઓએ વોટ કાપવાવાળી ઉમેદવારો ઉભા થયાં છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારનાં રોજ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં તેઓની પાર્ટીએ જીતનારા અને મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે અને જે નથી જીતી શક્યાં તે રાજ્યમાં બીજેપીને નુકસાન પહોંચાડશે. તેઓએ કહ્યું કે, 'અમે ઉત્તર પ્રદેશમાં મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે. આમ તો તમામ જીતીશું અને જે નહીં જીતી રહ્યાં તે બીજેપીનાં વોટ કાપશે. કોંગ્રેસે એવાં ઉમેદવાર ઉતાર્યા છે કે જે જીતી શકે છે અથવા તો જેની પાસે રાજ્યમાં બીજેપીની આશાને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે.