બાજીરાવ મસ્તાની ફિલ્મની શૂટિંગ શરૂ થવાના ત્રીજા દિવસે પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મને છોડવાનો નિર્ણય કરી લીધો હતો.
બાજીરાવ મસ્તાની ફિલ્મ છોડવા માંગતી હતી પ્રિયંકા
શૂટિંગના ત્રીજા દિવસે જ છોડવી હતી ફિલ્મ
જાણો શું હતું કારણ
વર્ષ 2015માં રિલીઝ થયેલી બાજીરાવ મસ્તાની બોલિવુડની સુપર હિટ અને સૌથી મોટી ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મની ગણતરી સંજય લીલા ભણસાલીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં કરવામાં આવે છે અને ભણસાલીની આવી ફિલ્મોનો ભોગ બનવા બધા માંગે છે.
પરંતુ બાજીરાવ મસ્તાની ફિલ્મની શૂટિંગ શરૂ થવાના ત્રીજા જ દિવસે જ પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મને છોડવાનો નિર્ણય કરી દીધો હતો અને તેનો આવો વ્યવહાર જોઈને રણવીર સિંહ પણ ચોંકી ઉઠ્યા હતા.
રણવીરે ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો
આ ફિલ્મમાં રણવીર સિંહે ટાઈટલ રોલ પ્લે કર્યો હતો અને તેને ખૂબ વખાણવામાં પણ આવ્યો હતો. ફિલ્મમાં રણવીર અને પ્રિયંકા ઉપરાંત દીપિકા પાદુકોણ પણ હતી. ત્યાં જ એક ઈન્ટરવ્યૂમાં રણવીરે જણાવ્યું હતું કે કઈ રીતે ફિલ્મ શરૂ થવાના ત્રીજા જ દિવસે પ્રિયંકા ચોપડાની હિમ્મત જવાબ આપવા લાગી હતી અને તેણે ફિલ્મ છોડવાનો નિર્ણય કરી લીધો હતો.
રણવીરે જણાવ્યું હતું કે કદાચ પ્રિયંકા સંજય લીલા ભણસાલીના અલગ અંદાજ માટે તૈયાર ન હતી અને પ્રિયંકાનો આવો વ્યવહાર રણવીરે પહેલી વખત જોયો હતો. રણવીરે જણાવ્યું કે પ્રિયંકાનો વ્યવહાર એવો હતો કે... આ બધુ શું ચાલી રહ્યું છે. હકીકતમાં આવું બધુ થઈ રહ્યું છે. શું હું ટ્વિલાઈટ ઝોનમાં છું. ત્રણ દિવસમાં જ પ્રિયંકાઓ કહ્યું હતું કે તે ફિલ્મ છોડવા ચાહે છે અને ઘર જવા માંગે છે.
ફિલ્મમાં નિભાવ્યો હતો કાશીનો રોલ
બાજીરાવ મસ્તાની ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ બાજીરાવની પત્ની કાશીની ભુમિકા નિભાવી હતી અને તેને આ રોલ માટે ખૂબ જ પ્રશંસા પણ મળી હતી. પ્રિયંકાએ આ ભુમિકાને નિભાવી જ નથી પરંતુ જીવી અને તેને યાદગાર બનાવી છે. ભલે પ્રિયંકા ફિલ્મમાં લીડ રોલમાં ન હતી પરંતુ તેમ છતાં તેને નોટિસ કરવામાં આવી હતી. ખૂબ પસંદ કરવામાં આવી હતી.