ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાના હોલીવૂડ શો ક્વોન્ટિકો તાજેતરમાં મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. આ શોના એક એપિસોડનો વિવાદ ચગ્યો હતો પરિણામે શોના નિર્માતાને જાહેરમાં માફી માંગીને આમાં પ્રિયંકાની કોઇ ભૂલ નથી તેવી સ્પષ્ટતા કરવી પડી છે. પ્રિયંકા હાલક્વોન્ટિકાની સીઝીન ૩ ના એક એપિસોડ માટે સોશયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.
આ શોના એક એપિસોડમાં ભારતીય રાષ્ટવાદિઓને આતંકી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરિણામે પ્રિયંકા ચોપરાએ સોશયલ મીડિયા પર આલોચનાઓનો સામનો કરવો પડયો હતો. આ પછી શોના નિર્માતાએ માફી માંગી છે. એબીસી નેટવર્ક દ્વારા તેમણે આએપિસોડ માટે માફી માંગવી પડી હતી.
ગુરુવારે એક ટ્વીટ દ્વારાએએનઆઇએ જાણકારી આપીને ટ્વિટ કર્યું છે કે '' ક્વોન્ટિકોના એપિસિોડને ઘણા પ્રમાણમાં ઇમોશનલ રિએકશન મળ્યા છે અને એમાં સોથી વધારે પ્રિયંકા ચોપરા પર કરવામાં આવ્યા છે. પરંતુ આમાં પ્રિયંકાનો કોઇ હાથ નથી. તેણે ન તો આ શો બનાવ્યો છે ન લખ્યો છે અને ન તો દિગ્દર્શિત કર્યો છે. તેથી આ કારણે એબીસી નેટવર્ક હિંદુઓથી ક્વોન્ટિકા ના એ એપિસોડમાં હિંદુઓને આતંકી કહેવા માટે માફી માંગે છે.