સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. લગભગ આખી દુનિયા આ વાયરસ સામે લડી રહી છે ત્યારે પીએમ મોદીએ પણ સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનનો આદેશ આપી દીધો છે. આ ખતરનાક વાયરસથી અત્યાર સુધી આપણાં દેશમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ બધાંની વચ્ચે હોલિવૂડ અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા લોકોમાં કોરોનાને લઈને રહેલી માન્યતાઓને દૂર કરવાની કોશિશ કરી રહી છે. એક્ટ્રેસે હાલમાં જ પતિ નિક જોનાસ સાથે WHOના ડોક્ટર્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વાતો કરી હતી. આ દરમિયાન તેણે ફેન્સ દ્વારા પુછાયેલાં સવાલો ડોક્ટર સામે મૂક્યા અને ડોક્ટર્સે પણ લોકોની માન્યતાઓને દૂર કરવા માટે સવાલોના જવાબ આપ્યા.
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપડાના આ 45 મિનિટના સેશનમાં 45 હજાર ફેન્સે ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રિયંકા ચોપડાએ WHOના ડો. ટેડરોસ અને ડો. મારિયા વેન કરખોવથી પૂછ્યું કે, શું આ વાયરસ હવા દ્વારા ફેલાય છે. જેના જવાબમાં ડોક્ટરે કહ્યું-ના આ વાયરસ હવાથી ફેલાતો નથી પરંતુ ખાંસી અથવા છીંક ખાતી વખતે તમારા મોં અને નામમાંથી જે છીંટા નીકળે છે તેનાથી આ વાયરસ ફેલાય છે.
કોરોના વાયરસ ખોરાકથી પણ ફેલાતો નથી. જો તમે તમારા હાથ સાબુથી સારી રીતે ધોઈને કોઈપણ સ્પર્શો છો અને જો એ જગ્યાએ વાયરસના ચોંટેલો હોય તો તેનો પ્રભાવ ઓછો થઈ શકે છે.
WHOના ડોક્ટર્સે એ પણ જણાવ્યું કે, નાક વહેવી એ કોરોના વાયરસના લક્ષણ નથી. ચીનમાં 90 ટકા લોકો જેઓ આ વાયરસથી સંક્રમિત હતા તેમને ખાંસી, તેજ તાવ અને સૂકી ખાંસી પણ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 562 થઈ ગઈ છે. જેમાંથી 11 લોકોના મોત થઈ ચૂક્યા છે.