પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં સોશિયલ મીડિયા પર હોટ કપલ બન્યાં છે. સોશિયલ મીડિયા પર સમાચાર વાઇરલ થઈ રહ્યા છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તલાક લેવાનાં છે, જોકે આ સમાચાર અફવા હોવાનું જાણવા મળ્યું છે.
બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા, પ્રિયંકાની પિતરાઇ બહેન છે. પરિણિતીનું કહેવું છે કે, 'ડિવોર્સના સમાચાર ટેરિબલ છે અને ખોટી છે હું આ માટે કોઇ વાત કરવા માંગતી નથી.' આ ઉપરાંત એને કહ્યું કે મારે કોઇ રિએક્શન આપવું હોત તો ટ્વિટ કરી દેતી. સમગ્ર દુનિયા જાણે છે આ ખોટું છે. એમા હું શું કહું.'
આ અટકળોની શરૂઆત એક વીકલી મેગેઝિનઝનના રિપોર્ટથી ઊઠી છે, જેનો દાવો છે કે પ્રિયંકા અને નિક વચ્ચે લગ્ન બાદ અણબનાવ ચાલી રહ્યો છે, જેના કારણે બંનેએ એકબીજાથી હંમેશાં માટે દૂર થવાનો નિર્ણય લીધો છે. બંનેનાં લગ્નને હજુ માત્ર ચાર મહિના જ થયા છે.
તમને જણાવી દઈએ કે ‘ઓકે’ નામના મેગેઝિનને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે પ્રિયંકા અને નિક લગ્ન બાદથી દરેક નાની નાની વાતમાં ઝઘડો કરવા લાગ્યાં છે, પછી તે કામ કરવાની વાત હોય કે પછી પાર્ટીમાં જવાની. પ્રિયંકા અને નિક બંને એકબીજાથી નાખુશ છે.