Nick Jonas And Priyanka Chopra: હાલમાં જ નિકે પોતાના અને પ્રિયંકાના અલગ અલગ ધર્મો વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે તેમની દિકરી મોટી થવા પર તેને પર બન્ને ધર્મોનો પ્રભાવ પડશે.
નિક જોનસ હિન્દુ ધર્મથી થયો પ્રભાવિત
નિકે પોતાના અને પ્રિયંકાના અલગ ધર્મો વિશે કરી વાત
દીકરી માલતિના સંસ્કારને લઈને જુઓ શું કહ્યું
પ્રિયંકા ચોપરા અને નિક જોનસની જોડી સૌથી ચર્ચિત જોડિયોમાંથી એક છે. બન્નેની વચ્ચે ખૂબ પ્રેમ છે અને આ પ્રેમને તે દુનિયાની સામે જાહેર કરતા રહે છે. સોશિયલ મીડિયા પર બન્ને એક બીજા પર પ્રેમ વરસાવે છે. હાલમાં જ નિકે પોતાના અને પ્રિયંકાના અલગ અલગ ધર્મોના વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે દિકરીના મોટા થવા પર ધર્મનો પ્રભાવ પડશે.
નિકે દિકરીના ઉછેરને લઈને કરી આ વાત
પ્રિયંકા અને નિક બોલિવુડ જ નહીં પરંતુ હોલિવુડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. બન્નેને મોટાભાગે મીડિયામાં સ્પોટ કરવામાં આવે છે અને બન્ને એક બીજા પર પ્રેમ લુટાવવાનો કોઈ મોકો નથી છોડતા.
માલતીને આપશે બન્ને ધર્મોનું જ્ઞાન
હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં નિકે પોતાની દિકરી વિશે વાત કરતા ખુલાસો કર્યો કે તેમણે માલતી મેરીને 'બાઈબલ સિદ્ધાંતોના તત્વો' અને હિંદૂ ધર્મની સાથે ઉછેરવા માંગે છે. તેમણે કહ્યું, "ઈશ્વરની સાથે મારો ઉંડો અને અર્થપૂર્ણ સંબંધ છે પરંતુ હું હાલ મેં જે એક પુસ્તક વાંચ્યું છે. ઈશ્વરે તેનાથી ઘણા અલગ આકાર લીધા છે."
પ્રિયંકાની સાથે રહીને હિંદૂ ધર્મને નજીકથી ઓળખ્યો
નિકે આગળ કહ્યું, "એક હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા બાદ મને તે ધર્મ અને વિશ્વાસ વિશે એટલું બધુ જાણવા મળ્યું કે તે ખૂબ પ્રેરણાદાયક છે. અમે એક એવી બાળકીનો ઉછેર કરી રહ્યા છીએ. જેમાં બાઈબલના સિદ્ધાંતો અને હિંદુ ધર્મના તત્વો પણ હશે. અમે પોતાની દિકરીને બન્ને ધર્મના મહત્વ જણાવીશું અને ઈચ્છીશું કે તે પોતે ધર્મના પુસ્તકોને વાંચે અને પોતાનો એક દૃષ્ટિકોણ બનાવે. આ વસ્તુઓને કરીને જ તેને દરેક ધર્મનું જ્ઞાન થઈ શકશે. જે અમે ઈચ્છીએ છીએ."