બોલિવૂડથી હોલિવૂડમાં ધૂમ મચાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ભલે ન્યૂયોર્કમાં રહે છે પરંતુ તેનું દિલ તો હમેશાં ભારત માટે જ ધડકે છે. આ જ કારણ છે કે, દેશથી હજારો કિમી દૂર વિદેશમાં હોવા છતાં કોરોના વાયરસના સંકટમાં ભારતની મદદે આગળ આવી છે. પ્રિયંકા-નિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર પીએમ રિલીફ ફંડમાં દાન કર્યું છે.
કોરોનાએ મચાવ્યો સમગ્ર દુનિયામાં હાહાકાર
દેશથી દૂર હવે પ્રિયંકા પણ મદદ માટે આવી આગળ
માત્ર પીએમ રિલીફ ફંડ જ નહીં અન્ય સંસ્થાઓને પણ કર્યું દાન
પ્રિયંકાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર દાન કરવાની જાહેરાત કરી છે. પ્રિયંકાએ લખ્યું- દુનિયામાં અનેક લોકોને આપણાં સહકારની જરૂર છે. જેથી હું અને નિક એવી સંસ્થાઓને દાન કરવા માંગતા હતો જેઓ ગરીબો, બેઘર પરિવારો, ડોક્ટરોની મદદ કરી રહી છે. જે બાળકોનું પેટ ભરી રહી છે અને મ્યુઝિક અને એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીની મદદ કરી રહી છે. આ બધાંને આપણાં સપોર્ટની જરૂર છે અને તમને બધાંને દાન કરવાની અપીલ કરીએ છી. કોઈપણ રકમ નાની હોતી નથી પછી ભલે તે એક ડોલર જ કેમ ન હોય. આપણે એકજૂટ થઈને બદલાવ લાવી શકીએ છીએ.
તમને જણાવી દઈએ કે, પ્રિયંકાએ તેની પોસ્ટમાં જણાવ્યું કે, તે ઘણી સંસ્થાઓ અને એનજીઓને દાન કરી ચૂકી છે. પ્રિયંકાએ યૂનિસેફ, ગૂંજ, ડાક્ટર્સ વિધાઉટ બોર્ડર, પીએમ રાહત ફંડ જેવી સંસ્થાઓમાં દાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા પહેલાં ભારતમાં અનુષ્કા-વિરાટ, કરણ જોહર, વરૂણ ધવન, ભૂમિ પેડનેકર, અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી સહિતની હસ્તીઓએ દિલ ખોલીને દાન કર્યું છે.