જૂથવાદ માત્ર રાજ્યોમાં જ નહીં પરંતુ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વમાં પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીના એક આરોપે જાણે રાજકીય ગરમાવો ફેલાવી દીધો છે. ત્યારે ચતૂર્વેદીના આરોપ પર રાજકારણ ગરમાયું છે.
દિલ્હી: જૂથવાદ માત્ર રાજ્યોમાં જ નહીં પરંતુ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વમાં પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીના એક આરોપે જાણે રાજકીય ગરમાવો ફેલાવી દીધો છે. ત્યારે ચતૂર્વેદીના આરોપ પર રાજકારણ ગરમાયું છે.
એક તરફ કોંગ્રેસ મોદી સરકારને હરાવવાના સ્પપ્ન જોઈ રહી છે. જ્યારે બીજી તરફ પોતાના જ ઘરમાં જૂથવાદનો માહોલ જામ્યો છે. લોકસભા ચૂંટણીના ગર્માગર્મી ભર્યા માહોલમાં કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ચોંકાવનારો આરોપ લગાવ્યો છે કે, પોતાની જ પાર્ટીમાં એવા ગુંડાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
જે મહિલાઓના માન-સમ્માનને જાળવી શક્તા નથી અને તેમની સાથે ગેરવર્તણુક કરે છે. જ્યારે પાર્ટીમાં લોહી-પરસેવો વહાવનારને કોઈ મહત્વ આપવામાં આવી રહ્યું નથી.
Deeply saddened that lumpen goons get prefence in @incindia over those who have given their sweat&blood. Having faced brickbats&abuse across board for the party but yet those who threatened me within the party getting away with not even a rap on their knuckles is unfortunate. https://t.co/CrVo1NAvz2
મહત્વનું છે કે, પ્રિયંકાએ પોતાની સાથે થયેલા ગેરવર્તણૂકને લઈને એક ટ્વીટને રિટ્વીટ કર્યું છે. અને તેની સાથે એક પત્ર પણ અપલોડ કર્યો છે. જેમાં લખ્યું છે કે, ઉત્તરપ્રદેશના મથુરામાં જ્યારે પ્રિયંકા ચતુર્વેદી પાર્ટી તરફથી રાફેલ વિમાનની ડીલ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યાં હતા.
ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારબાદ આ કાર્યકર્તા પર કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ 15 એપ્રિલે ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાની ભલામણના કારણે કાર્યવાહી અટકાવી દેવાઈ હતી.
આપને જણાવી દઈએ કે, પ્રયિંકા ટીવી પ્રવક્તા તરીકે એક મોટો ચહેરો માનવામાં આવી રહ્યો છે. તેવામાં તેનો આ પ્રકારનો આરોપ કોંગ્રેસ માટે ભારે પડી શકે છે. ત્યારે જોવું રહ્યું કે, પ્રિયંકાના આરોપોને કોંગ્રેસ કેટલી ગંભીરતાથી લે છે.