કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિને યાદ કરી અને ભાજપ અને RSS પર નિશાન સાધતા કહ્યું કે, પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિરુદ્ધ હતા અને આજે શાસક પક્ષ તેમને શ્રદ્ધાંજલિ આપતા ખુશી અનુભવી રહ્યો છે. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે ભાજપ પાસે પોતાના મહાન સ્વાતંત્ર્ય સેનાની કોઇ નથી.
રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રિયંકા ગાંધી વાડ્રાનું ટ્વીટ
ભાજપ અને RSS પર કર્યા પ્રહાર
સરદારને કોંગ્રેસના વફાદાર નેતા ગણાવ્યા
તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'સરદાર પટેલ કોંગ્રેસના એક વફાદાર નેતા હતા, જે કોંગ્રેસની વિચારધારાને સમર્પિત હતા. તેઓ જવાહરલાલ નહેરુના નિકટના સાથી હતા અને RSS ના સખત વિરોધી હતા. આજે ભાજપ દ્વારા તેમને તેમને અપનાવવાનો પ્રયાસ કરી અને તેમને શ્રદ્ધાંજલિ આપતો જોઈને ખૂબ આનંદ થયો.
ભાજપ પાસે કોઇ સ્વાતંત્ર્ય સેનાની
કારણ કે ભાજપની આ કાર્યવાહીથી બે બાબતો સ્પષ્ટ છે. પ્રથમ, તેની પાસે કોઈ સ્વાતંત્ર્ય સેનાની મહાપુરુષ નથી. લગભગ બધા જ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. બીજું, સરદાર પટેલ જેવા મહાન માણસ સામે એક દિવસ તેમના શત્રુએ પણ નમન કરવા પડે છે.
सरदार पटेल कांग्रेस के निष्ठावान नेता थे जो कांग्रेस की विचारधारा के प्रति समर्पित थे। वह जवाहरलाल नेहरू के क़रीबी साथी थे और RSS के सख़्त ख़िलाफ थे। आज भाजपा द्वारा उन्हें अपनाने की कोशिशें करते हुए और उन्हें श्रद्धांजलि देते देख के बहुत ख़ुशी होती है, क्योंकि भाजपा के इस.. 1/2 pic.twitter.com/5yBAsN6VRz
આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને દૂર કરવાનો નિર્ણય દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર પટેલને સમર્પિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે દેશએ આ કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય લીધો જેમાં જમ્મુ-કાશ્મીરને ફક્ત અલગતાવાદ અને આતંકવાદ આપ્યો. રાષ્ટ્રીય એકતા દિવસ પર વડા પ્રધાને કહ્યું હતું કે 'હું કલમ 370 રદ કરવાનો નિર્ણય સરદાર પટેલને સમર્પિત કરું છું'. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અંગે અમારો નિર્ણય જમીન પર કોઈ લાઇન દોરવાનો નથી પરંતુ વિશ્વાસની સાંકળ બનાવવાનો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, દેશે કલમ 370 ને ખતમ કરવાનો નિર્ણય કર્યો જેમાં જમ્મુ-કાશ્મીરને માત્ર અલગાવવાદ અને આંતકવાદ આપ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરદાર પટેલથી પ્રરિત થઇને અમે ભાવનાત્મક, આર્થિક અને સંવૈધાનિક એકીકરણની દિશામાં કામ કરી રહ્યા છીએ.
31 ઓક્ટોબર 'રાષ્ટ્રીય એકતા દિવસ'
તેમણે કહ્યું કે, જ્યારે સરદાર પટેલે રજવાડાના એકત્રિકરણની શરૂઆત કરી તો કેટલાક શાસકોની ભાવનાએ ભારતમાં વિલિન થવા પ્રેરિત કર્યા. સદીઓ પહેલા ચાણક્યએ ભારતને એકજુટ કર્યું હતું અને ત્યારબાદ સરદાર પટેલે આ કામ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, જે લોકો અમારી વિરૂદ્ધ જંગ નથી જીતી શકતા તેઓ અમારી એકતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, 31 ઓક્ટોબરના રોજ દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની શરૂઆત 2014માં કરવામાં આવેલ.