પંજાબમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને રાજકારણ ગરમાયેલું છે. આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પંજાબમાં રેલી કરતા આમ આદમી પાર્ટી પર મોટા પ્રહારો કર્યા હતા.
પ્રિયંકા ગાંધીએ આપ પાર્ટી પર કર્યા આકરાં પ્રહાર
દિલ્હીનું મોડલ ફેલ છે
આપની સરકાર આવશે, તો દિલ્હીથી ચાલશે
પંજાબમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને રાજકારણ ગરમાયેલું છે. આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પંજાબમાં રેલી કરતા આમ આદમી પાર્ટી પર મોટા પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે, RSS માંથી નિકળેલી પાર્ટી છે. આપે દિલ્હીમાં શૈક્ષણિક અને હેલ્થકેર સંસ્થાઓ માટે કંઈ નથી કર્યું .આ ફક્ત દેખાડો છે. પ્રિયંકા ગાંધી પંજાબ કોટકપૂરામાં નવી સોચ, નવા પંજાબ રેલીને સંબોધન કરી રહ્યા હતા.
આમ આદમી પાર્ટી દિલ્હીથી ચાલશે, અમે પંજાબના મુખ્યમંત્રી આપીશું
આ સાથે જ પ્રિયંકા ગાંધીએ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ વિરુધ્ધ પણ આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કેપ્ટનની સરકાર કેન્દ્ર સરકારના ઈશારા પર ચાલી રહી હતી. એટલા માટે પાર્ટીએ મુખ્યમંત્રી બદલી નાખ્યા. પ્રિયંકા ગાંધીએ ફરી એક વાર સીએમ ચરણજીત સિંહના વખાણ કરતા કહ્યું કે, અમે પંજાબ માટે એક ગરીબ અને દલિત મુખ્યમંત્રીની પસંદગી કરી છે. તેમણે કહ્યું કે, અમે પંજાબમાં પંજાબના મુખ્યમંત્રીને પસંદ કર્યા છે. અમે ઈચ્છીએ છીએ કે, પંજાબની સરકાર પંજાબમાંથી ચાલે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો તે દિલ્હીથી ચાલશે. પણ ચન્ની સરકાર પંજાબથી જ ચાલશે.
LIVE: 'Navi Soch Nava Punjab' Rally, in Dhuri, Punjab.
કોંગ્રેસના સ્ટાર કેંપેનર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજકાલ દિલ્હી મોડલની વાતો થઈ રહી છે. આ લોકો દિલ્હીથી આવ્યા છે. જે પહેલા જ ફેલ થયા છે. આ અગાઉ ગુજરાત મોડલની મોટી ચર્ચાઓ થતી હતી. તે કેવી રીતે ફેલ થયું બધાએ જોયું. આપ જાણો જ છો. દિલ્હીની હકીકત પણ તેનાથી કંઈ અલગ નથી. આમ આદમી પાર્ટીના નેતા ખુદ કહે છે કે, તે ભાજપથી મોટા ભાજપાઈ છે. દિલ્હીમાં આપે કંઈ નથી કર્યું. પ્રિયંકાએ કહ્યું કે, ભાજપ તથા આપ બંને જાહેરાતો વાળી પાર્ટી છે. આ લોકો ફક્ત જાહેરાતોમાં કામ કરે છે. તેનાથી લોકોનું ભલું થવાનું નથી. આપણે એવી સરકાર જોઈએ જે ભવિષ્યને સુધારી શકે, તેના માટે કામ કરે. આવી સરકાર ફક્ત કોંગ્રેસ આપી શકે.