અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020 માટે અખિલ ભારતીય જુનિયર પસંદગી સમિતિએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ વર્લ્ડ કપ 17 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રમાશે. વર્લ્ડ કપની 13મી આવૃત્તિમાં 16 ટીમો ભાગ લેશે, જેમાં ચાર ગ્રુપ હશે. ટીમમાં મુંબઈના યશસ્વી જયસ્વાલ અને અથર્વ અંકોલેકર જેવા ઉભરતા ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ ટીમનું નેતૃત્વ મેરઠમાં જન્મેલા પ્રિયમ ગર્ગ કરશે.
અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના આ ખેલાડી જોવા મળશે
17 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી 2020 સુધી રમાશે વર્લ્ડ કપ
આ ટીમનું નેતૃત્વ મેરઠમાં જન્મેલા પ્રિયમ ગર્ગ કરશે
ભારતીય ટીમને ગ્રુપ-એમાં મુકવામાં આવી છે, જેમાં પ્રથમ વખત ક્વોલિફાય કરનારી જાપાની ટીમ ઉપરાંત ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમો હશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો સુપર લીગ માટે ક્વોલિફાય થશે.
અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી 4 વાર ખિતાબ જીતવામાં સફળ રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ 2018માં અગાઉનું અંડર-19 વર્લ્ડ કપ પણ જીત્યું હતું. ત્યારબાદ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યા હતા અને સમગ્ર ટૂર્નામેન્ટમાં સફળ રહ્યા હતા.
કેપ્ટન પ્રિયમ ગર્ગના નામે રહી આ ઉપલબ્ધિ
ટોપ ઓર્ડરના 19 વર્ષના જમણેરી બેટ્સમેન પ્રિયમ ગર્ગ પ્રથમ કક્ષાની મેચમાં ડબલ સેન્ચુરી તેમજ એક સેન્ચુરી મારી ચુક્યા છે. તે ભારત-સી ટીમનો ભાગ હતો. સાથે જ તે દેવધન ટ્રોફીમાં રનર અપ રહ્યો હતો. તેણે ગયા મહિને ઈન્ડિયા-બી સામે ફાઈનલમાં 74 રન બનાવ્યા હતા.
વિશ્વ કપથી પહેલા અંડર-19 ભારતીય ટીમમાં દક્ષિણ અફ્રિકાની અન્ડર-19 સામે ત્રણ દિવસની મેચ માટે દક્ષિણ આફ્રિકાની યાત્રા કરશે. ત્યારબાદ દક્ષિણ અફ્રીકા અંડર-19, ભારત અંડર-19, ઝિમ્બાબ્વે અન્ડર-19 અને ન્યૂઝીલેન્ડની અંડર-19 વચ્ચેની ક્વૉડ્રિલેટરલ (ચતુર્ભુજ) સીરિઝ થશે.