ભારતીય રેલ્વેના પ્રાઈવેટ થવાના કારણે અનેક લોકો નારાજ છે. આ સમયે રેલ્વે અધિકારીઓ અને નીતિ આયોગે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અપ્રાઈઝલ કમિટિ સાથે 151 પ્રાઈવેટ ટ્રેન ચલાવતાં આવી રહેલી મુશ્કેલીઓને લઈને બેઠક કરી. તેમાં નક્કી કરાયું છે કે જે પણ પ્રાઈવેટ ફર્મ યાત્રી ટ્રેન ચલાવશે તેમને રેલ્વે પ્રોજેક્ટમાં આવનારા ખર્ચના 3 ટકા ભાગ સિક્યોરિટી ડિપોઝિટના આધારે રેલ્વેમાં જમા કરાવવાનો રહેશે. એટલું નહીં સુરક્ષાના માનકોને સુનિશ્ચિત કરવા રેલ્વે અધિકારી સરકારી ટ્રેનની જેમ પ્રાઈવેટ ટ્રેનને પણ સ્ટેશનથી નીકળતા પહેલાં તપાસશે.
ભારતીય રેલ્વેના પ્રાઈવેટ થવાના કારણે લોકો નારાજ
દરેક પ્રાઈવેટ ફર્મ યાત્રી ટ્રેન માટે સિક્યોરિટી ડિપોઝીટ આપશે
રેલ્વે અધિકારી પ્રાઈવેટ ટ્રેનને સ્ટેશનથી નીકળતા પહેલાં તપાસશે
મળતી માહિતી અનુસાર નીતિ આયોગના અધિકારીઓને લાગ્યું કે પ્રાઈવેટ કંપનીઓ જે રોકાણ લાવે છે અને પ્રોજેક્ટ સાથેના જોખમ પણ ઉઠાવે છે તેમને સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની જરૂર નથી. આયોગ આ પગલાંની મદદથી પ્રાઈવેટ કંપનીઓના વેપારને સરળ રાખવા ઈચ્છે છે. કહેવાય છે કે આ કંપનીઓ જે 12 કલ્સ્ટરમાં પ્રાઈવેટ ટ્રેન ચલાવી રહી છે ત્યાં 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એવામાં કોઈ પણ કંપનીને માટે અનુમાનિત સિક્યોરિટી ડિપોઝિટ એક કરોડ રૂપિયાની આસપાસની રહે છે.
મુશ્કેલ સમયમાં સરકાર કરે મદદ
બેઠકમાં એવો નિર્ણય પણ લેવાયો છે કે જો કોઈ કંપની પોતાની આર્થિક જવાબદારી વહન કરવાની કે સેવાઓ પૂરી પાડવા સદ્ધર નથી તો સરકારની પાસે કેટલીક રકમ હોવી જોઈએ જેનાથી કામમાં અડચણ ન આવે. મળતી માહિતી અનુસાર પ્રાઈવેટ કંપનીઓ પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ લેવાની વાત માટે સહમતિ બની છે.