યૂનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા ( UIDAI)એ ગુરુવારે એક નોટિફિકેશન જારી કર્યુ છે. નોટિફિકેશન અનુસાર, આધાર સર્વિસનો ઉપયોગ કરનાર પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સના પ્રત્યેક કસ્ટમર વેરિફિકેશન માટે 20 રૂપિયા આપવા પડશે, તો યૂનિક IDના ઓથેન્ટિકેશન માટે 50 પૈસા આપવા પડશે. જોકે નોટિફિકેશન, આધાર (પ્રાઇસિંગ ઑફ આધાર ઑથોન્ટિકેશન સર્વિસ) રેગ્યુલેશન્સ 2019 સરકારી એકમો અને ડિપાર્ટમેન્ટ ઑફ પોસ્ટ્સને ઓથેન્ટિકેશન ટ્રાન્જેક્શન્સ ચાર્જિસ છૂટ આપે છે.
UIDAIના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે, ''તમામ e-KYC ટ્રાન્જેક્શન માટે 20 રૂપિયા (ટેક્સ સહિત) અને પ્રત્યેક હા અને ના ઑથેન્ટિકેશન ટ્રાન્જેક્શન માટે 0.50 રૂપિયા (ટેક્સ સહિત) એકમો પાસેથી લેવામાં આવશે.'' નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે ઑથોરિટીની તરફથી ઇનવૉઇસ જારી કર્યાને 15 દિવસની અંદર ઑર્ગેનાઇઝેન્સનો ઉપયોગ આધાર પરની સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે. પેમેન્ટ મોડો થવા પર વ્યાજ આપવુ પડશે અને સાથે જ ઓથેન્ટિકેશન અને e-KYC સર્વિસને બંધ પણ કરવામાં આવશે.
આધાર એક્ટમાં સંશોધન કરવામાં આવ્યુ કે કેન્દ્ર સરકાર 28 ફેબ્રુઆરીના એક ખરડો પસાર કર્યો, જેમાં અનિવાર્ય કરવામાં આવ્યુ કે, પ્રાઇવેટ એકમો UIDAIની તરફથી નક્કી કરવામાં આવેલી પ્રાઇવસી અને સિક્યોરિટી સ્ટાન્ડર્ડને પૂરો કર્યા પછી ઑથેન્ટિકેશન કરી શકશે. આ નોટિફિકેશન પર UIDAIના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસરની સહી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે, એકમો જો ઑથેન્ટિકેશન ટ્રાન્જેક્શન ચાર્જની ચૂકવણી નથી કરવા ઇચ્છતી તો આધાર ઓથેન્ટિકેશન સર્વિસનો ઉયપોગ બંધ કરવો પડશે અને તત્કાલિક આ નિર્ણય વિશે UIDAIને સૂચિત કરવાનું રહેશે. આ સાથે જ ઓથેન્ટિકેશનની સુવિધા માટે આપવામાં આવેલા એક્સેસને સરેન્ડર કરવુ પડશે.