રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 માં, આરોગ્ય સંભાળ પાછળ સરકારી ખર્ચનું લક્ષ્ય 2025 સુધીમાં જીડીપીના 2.5 ટકા કરવાનું છે જે 2017 માં 1.15 ટકા હતું. આ સિવાય આરોગ્ય પર બનેલી સંસદીય સમિતિના અહેવાલમાં બીજી ઘણી બાબતો સામે આવી છે.
વિશેષ ગાઈડલાઇન હોત તો ઘણાના જીવ બચાવી શકાત : અહેવાલ
સંસદીય સમિતિ એ શનિવારે કહ્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં પથારી ન હોવાને કારણે અને કોવિડ -19 ના વધતા જતા કેસો વચ્ચે રોગચાળાની સારવાર માટે ચોક્કસ માર્ગદર્શિકાના અભાવને લીધે ખાનગી હોસ્પિટલો એ લોકો પાસેથી ખૂબ પૈસા વસૂલ્યા હતા. આ સાથે, સમિતિએ કહ્યું હતું કે જો સરકાર દ્વારા સારવાર માટેની કિમતો ફિક્સ કરી દેવાઈ હોટ ટો ઘણા મૃત્યુને ટાળી શકાય તેમ હતા.
આરોગ્ય અંગેની સ્થાયી સંસદીય સમિતિ ના અધ્યક્ષ રામ ગોપાલ યાદવે રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુને "કોવિડ -19 મહામારી અને સંચાલન" નો અહેવાલ આપ્યો હતો. સરકાર દ્વારા કોવિડ -19 રોગચાળાને લગતા કોઈપણ સંસદીય સમિતિનો આ પહેલો અહેવાલ છે.
આરોગ્ય સિસ્ટમ પર સરકારી ખર્ચ ઓછો છે : સમિતિ
સમિતિએ જણાવ્યું હતું કે 1.3 અબજની વસ્તીવાળા દેશમાં આરોગ્ય પર ખર્ચ જે સરકારી ખર્ચ હોવો જોઈએ તેનાથી ઘણો ઓછો છે, અને ભારતીય આરોગ્ય સિસ્ટમની આ કમજોરીના લીધે મહામારી સામે લડવામાં અડચણો આવે છે. અહેવાલ મુજબ સમિતિએ કહ્યું હતું કે તે સરકારને જાહેર આરોગ્ય પ્રણાલીમાં તેના ખર્ચમાં વધારો કરવાની ભલામણ કરે છે.
સમિતિએ સરકારને બે વર્ષમાં GDP ના 2.5 ટકા જેટલા ખર્ચ કરવા ભલામણ કરી હતી કે જે ભારતીય રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું લક્ષ્ય છે. કારણ કે 2025 નો નિર્ધારિત સમય હજી દૂર છે અને જાહેર આરોગ્ય સમિતિ તે મુદ્દા સુધી છે. તેને જોખમમાં મૂકી શકાય નહીં.
આરોગ્ય સિસ્ટમ પર GDP ના 2.5 ટકા ખર્ચ હોવો જોઈએ : રિપોર્ટ
રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 માં, આરોગ્ય સંભાળ પાછળ સરકારી ખર્ચનું લક્ષ્ય 2025 સુધીમાં GDP ના 2.5 ટકા છે જે 2017 માં 1.15 ટકા હતું. સમિતિએ કહ્યું કે, એવું અનુભવાય છે કે દેશની સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા કોવિડ અને કોવિડ દર્દીઓની વધતી સંખ્યા માટે પૂરતી નથી, અહેવાલમાં તેવુ કહેવાયું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી હોસ્પિટલોએ કોવિડ ની સારવાર માટે સરકારી વિશેષ ગાઈડલાઇનના અભાવને કારણે દર્દીઓ પાસેથી વધુ પૈસા લૂંટયા હતા. સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી આરોગ્ય સુવિધાઓ અને રોગચાળાના અભાવને ધ્યાનમાં રાખીને સરકારી અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સારી ભાગીદારીની જરૂર છે. સંસદીય સમિતિ એ કહ્યું કે રોગચાળા સામેની લડતમાં જેમણે પોતાનો જીવ આપ્યો તે ડોકટરોને શહીદ તરીકે માન્યતા આપવી જોઈએ અને તેમના પરિવારોને પૂરતા વળતર મળવા જોઈએ.