સંસદીય સમિતિએ શનિવારે કહ્યું કે કોરોનાના વધતા કેસને લઈને સરકારી હોસ્પિટલોમાં બેડની અછતના કારણે આ મહામારીની સારવાર માટે ખાસ દિશા નિર્દેશનો અભાવ છે. ખાનગી હોસ્પિટલોએ લૂંટ ચલાવી છે. સાથે સમિતિએ ભાર મૂક્યો કે સ્થાયી મૂલ્ય નિર્ઘારણ પ્રક્રિયાથી અનેક મોતને ટાળી શકાય છે.
કોરોનામાં ખાનગી હોસ્પિટલોએ લીધો ફાયદો
સરકારી અને ખાનગી હોસ્પિટલોની વચ્ચે ખાસ તાલમેલની જરૂર
ખાનગી હોસ્પિટલોએ ચલાવી લૂંટ
સ્વાસ્થ્ય સંબંધી સ્થાયી સમિતિના અધ્યક્ષ રામ ગોપાલ યાદવે રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુને કોરોનાનો પ્રકોપ અને તેના પ્રબંધન પર રિપોર્ટ આપ્યો છે. સરકાર દ્વારા આ પહેલો રિપોર્ટ તૈયાર કરાયો છે.
સરકારી અને ખાનગી હોસ્પિટલોની વચ્ચે ખાસ તાલમેલની જરૂર
રિપોર્ટમાં કહેવાયું છે કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે વિશિષ્ટ દિશા નિર્દેશોના અભાવના કારણે દર્દીઓને વધારે રૂપિયા આપવા પડ્યા છે. સમિતિએ ભાર મૂક્યો કે સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓની ખામી અને મહામારીને ધ્યાનમાં રાખીને સરકારી અને ખાનગી હોસ્પિટલોની વચ્ચે ખાસ તાલમેલની જરૂર છે. સમિતિએ કહ્યું કે જે ડોક્ટરને મહામારીમાં જીવ આપ્યો છે તેમને શહીદનો દરજ્જો અપાવવો જોઈએ. આ સાથે પરિવારને પૂરતું વળતર આપવું જોઈએ. સમિતિએ કહ્યું કે 1.3 અરબ આબાદીમાં સ્વાસ્થ્ય પર ખર્ચ ઓછો છે અને સાથે મહામારીથી પ્રભાવી રીતે લડવામાં મોટી સમસ્યાઓ આવી રહી છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017માં 2025 સુધી જીડીપીનો 2.5 ટકા સ્વાસ્થ્ય સેવા પર સરકારી ખર્ચનું અનુમાન છે. જે 2017માં 1.7 ટકા હતું. સમિતિએ કહ્યું કે દેશની સરકારી હોસ્પિટલોમાં કોરોનાના બેડની સંખ્યા અને બિન કોરોના દર્દીઓની સંખ્યાને લઈને પૂરતી નથી.