આધારની અનિવાર્યતાને લઇને સુપ્રીમ કોર્ટની તરફથી નિર્ણય આવ્યા પછી તેના ઉપયોગને લઇને લોકો અને કંપનીઓ વચ્ચે ઘણા સવાલો છે. આધાર ઑથોરિટી UIDAIના CEO અજય ભૂષણ પાંડેએ આ આશંકાઓને દૂર કરવા વધુ એક પ્રયત્ન કર્યો છે.
તેમણે 3 ઓક્ટોબરના ટ્વીટ કર્યુ હતું જેમાં જણાવ્યુ કે ખાનગી કંપનીઓ આધાર આધારિત ઑફલાઇન વેરિફિકેશનનું ઉપયોગ કરી શકે છે કેમકે સુપ્રીમ કોર્ટે તેના પર કોઇ રોક લગાવી નથી. આ કંપનીઓ ઑફલાઇન KYC અને ક્વિક રિસ્પોન્સ (QR) કોડ આધારિત વેરિફિકેશનનો ઉપયોગ જારી રાખી શકે છે.
Paperless offline KYC and QR code are good options for fintech and startups. An innovative option for them.
તેમને આગળ જણાવ્યુ કે સુપ્રીમ કોર્ટે 26 સપ્ટેમ્બરના જે નિર્ણય કર્યો તેમાં ખાનગી કંપનીઓ માત્ર ઑનલાઇન ઇલેક્ટ્રોનિક-નો યોર કસ્ટમર (e-KYC) વેરિફિકેશનનો ઉપયોગ કરી ક્લાઇન્ટ્સને શામેલ નહી કરી શકે.
આ વર્ષની શરૂઆતમાં UIDAIએ પોતાના QR કોડની ફોર્મેટમાં બદલાવ કર્યો હતો. જેમાં સંબંધિત વ્યકિતની ફોટો અને અન્ય ડિટેલ QR કોડમાં ઇ-આધારની મદદથી મળશે.
આ પહેલા UIDAIના CEOએ જણાવ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર અધ્યયન કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે 26 સપ્ટેમ્બરના પોતાના નિર્ણયમાં આધારની અર્નિવાર્યતા ખત્મ કરી દીધી હતી. જોકે PAN કાર્ડ સહિત કેટલીક અન્ય સેવાઓ માટે કોર્ટે તેની અનિવાર્યતા જરૂરી રાખી છે.