સરકાર એવી યોજના પર કામ કરી રહી છે જેમાં પ્રાઇવેટ કાર માલિકો માટે OLA અને UBER જેવી એગ્રિગેટ પ્લેટફોર્મ પર જોડાવવું સરળ બની જશે. આ માટે ટેક્સી પરમિટ રૂલ્સમાં ઢીલ આપવામાં આવી શકે છે. સરકારનું માનવું છે કે આનાથી રરસ્તાઓ પર કાર્સની સંખ્યા ઓછી થવામાં મદદ મળશે. પોલ્યુશન ઓછું કરવા માટે દેશના ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સુધાર કરવાના હેતુસર એક હાઈ લેવલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી જેમણે આ સલાહ આપી છે.
સૂત્રોનુસાર આ રિપોર્ટમાં અનેક મંત્રાયલો અને નીતિ આયોગના પ્રતિનિધિઓ શામેલ હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ટેક્સીની પરમિટના નિયમોમાં ઢીલ આપવામાં આવે જેથી પ્રાઇવેટ કાર્સનો ઉપયોગ સર્વિસ એગ્રિગેટર્સની ટેક્સી તરીકે થઇ શકે. અત્યારે ટેક્સી ચલાવવા માટે લગભગ અડધો ડઝન જેટલા અપ્રૂવલ અને ક્લીયરન્સ આપવા પડતા હોય છે. આ સિવાય કોમર્શિયલ ઓપરેશનલ માટે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે.
રિપોર્ટમાં કહેવામાં આ્યું છે કે આવી વ્યવસ્થામાં પેસેન્જરની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરુરી છે અને તેના માટે પોલિસી લેવલ પર ઉપાય કરવામાં આવે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં અત્યારે ઘણી ઓછી એગ્રિગેટર કંપનીઓ છે. જેનાથી તેમનો બજાર પર દબદબો રહેવાની પણ આશંકા છે.
ડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મિનિસ્ટર નિતિન ગડકરીએ ફેબ્રુઆરી એક સમિટમાં કહ્યુ હતું કે રોડ પર પ્રાઈવેટ વાહનોની સંખ્યા ઓછી કરવાની જરુર છે. નવી ટેક્નોલોજી પર આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાની જરુર છે. જો આ જ ગતિએ પેસેન્જર વાહનોની સંખ્યા વધતી જશે તો સરકારે નેશનલ હાઈવેના વિસ્તાર માટે 1 લાખ કરોડ રુપિયાની જરુર પડશે. દેશમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ વિત્ત વર્ષ 2017માં પહેલી વખત 30 લાખથી વધારે રહ્યુ. આ સેગમેન્ટની ગ્રોથ 9.23% હતો. સોસાઇટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સિયામ)નું કહેવું છે કે આ વર્ષમાં યાત્રી વાહનોનું વેચાણ 9% વધી શકે છે.