ગઇકાલે અંબાજી નજીક ત્રિશૂળીયા ઘાટ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 21 લોકોનાં મોત નિપજ્યાં હતા. જો કે આ અકસ્માત મામલે મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી છે.
CM રૂપાણીએ 4 લાખની સહાયની કરી જાહેરાત
મુખ્યમંત્રી રાહત નિધીમાંથી સહાય ચૂકવાશે
CM વિજય રૂપાણીએ 4 લાખની સહાયની કરી જાહેરાત
ગઇકાલે અંબાજી નજીક ત્રિશૂળીયા ઘાટમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 21 લોકોના મોત નિપજ્યાં હતા. જો કે તેને લઇને અકસ્માત મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી રાહત નિધિમાંતી સહાય ચૂકવાશે.
અંબાજી નજીક ગોઝારા અકસ્માતમાં 21 લોકોનાં થયાં હતા મોત
ગઇકાલે અંબાજી ખાતે દર્શન કરીને ઊંઝા મંદિરમાં દર્શન કરવા જઈ રહેલા પ્રવાસીઓની બસ પલટી હતી. જેમાં ઓવરસ્પીડના કારણે લક્ઝરી બસના ચાલકે બ્રેક મારતાં પાછળનું ટાયર ઉંચુ થતાં અકસ્માત થયો હતો. આ બસમાં 76 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં 21 જેટલા લોકોના મોત થયા હતા. જ્યારે 35 જેટલા લોકોને ઈજા પણ થઈ હતી.
બ્રેક ન લાગતા બસ પલટી મારી હતી
અંબાજીથી દાંતા વચ્ચેના રસ્તા પર ત્રિશુલીયા ઘાટ નજીક જે જગ્યા ચેતવણી ભયાનક વણાંકનું પાટીયું માર્યું છે. ત્યાં જ ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી ગઈ હતી. આ સાથે ડ્રાઈવર બ્રેક પર પગ દબાવ્યો પણ બ્રેક ન લાગતાં બસ પલટી મારી.
PM મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ હતું
અંબાજી નજીક અકસ્માતને લઈ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું હતું. PM મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ હતું. મૃતકોના પરિવારજનોને PMએ સાંત્વના પાઠવી હતી.
Devastating news from Banaskantha. I am extremely pained by the loss of lives due to an accident. In this hour of grief, my thoughts are with the bereaved families.
The local administration is providing all possible help to the injured. May they recover soon.