બનાસકાંઠામાં અંબાજી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. માઁ અંબાના દર્શન કરી પરત ફરતાં 50 શ્રદ્ધાળુંઓની બસ અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુલીયા ઘાટ નજીક પલટી જતાં 21 લોકોના મોત થયા છે. જેમાં 30થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ત્રિશુલીયા ઘાટના રસ્તાઓ પર લોહીની નદીઓ વહી
મહિલાઓ અને બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
PM મોદી અને CM રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
ભયાનક વણાંક ચેતવણી હતી ત્યાં ડ્રાઈવરે ભુલ કરીને શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો
મા અંબા બાદ શ્રદ્ધાળુઓનો યમરાજા સાથે ભેટો
નવરાત્રીના બીજા નોરતે મા અંબાના દર્શન કરવા ગયેલાં 50 શ્રદ્ધાળુઓને મા અંબા બાદ યમરાજા સાથે ભેટો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં અંબાજીથી દાંતા વચ્ચે આવેલાં ત્રિશુલીયા ઘાટ પર વરસાદના કારણે બસના પૈડાં સ્લીપ થઈ જતાં અને ડ્રાઈવરે સ્ટિંયરીંગ પરથી કાબૂ ગુમાવતાં મોટી દુર્ઘટના સર્જાય છે. જેમાં 21 શ્રદ્ધાળુંઓના મોત થયા છે. બસ પલટી જતાં લોકો બસ નીચે જ ફસાયા હોવાથી મૃતકોની સંખ્યા વધી છે.
ગંભીર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
પલટી ગયેલી બસ નીચે ફસાયેલાં 30થી વધુ શ્રદ્ધાળુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેને દાંતા અને પાલનપુરની નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. અનેક લોકોના હાથ અને પગ પણ કપાયા છે. હોસ્પિટલમાં પરિવારજનો ઉમટ્યાં હતા.
108 સહિત તંત્ર ખડેપગે
અકસ્માતની જાણ થતાં નજીકના ગામ લોકો મદદે આવ્યા હતા. ત્યારબાદ તરત જ 108ની ટીમ સહિત પોલીસ, ફાયર વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં બચાવ કામગીરી હાથધરી હતી. હાલમાં પાલનપુર સિવિલ અને દાંતાની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે.
બ્રેક ન લાગતા બસ પલટી મારી હતી
અંબાજીથી દાંતા વચ્ચેના રસ્તા પર ત્રિશુલીયા ઘાટ નજીક જે જગ્યા ચેતવણી ભયાનક વળાંકનું પાટીયું માર્યું છે. ત્યાં જ ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી ગઈ હતી. આ સાથે ડ્રાઈવર બ્રેક પર પગ દબાવ્યો પણ બ્રેક ન લાગતાં બસ પલટી મારી.
આ અકસ્માતથી ભાવનગરનો રંઘોળા અકસ્માત યાદ આવ્યો
લગભગ બે વર્ષ પહેલાં થયેલા ભાવનગરના રંઘોળાનો અકસ્માત આવો જ ભયાનક હતો. જેમાં જાનમાં જઈ રહેલાં એક જ ગામના 35થી વધુ જાનૈયાઓના મોત થયા હતા. આ ઉપરાંત જેવી રીતે રંઘોળા અકસ્માતમાં ટ્ર્ક પલટી જતાં લોકોના દબાવવાથી મોત થયા છે. એવી જ રીતે આ અકસ્માતમાં લોકો બસની નીચે દબાવવાથી 20 લોકોના મોત થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક પ્રગટ કર્યો
Devastating news from Banaskantha. I am extremely pained by the loss of lives due to an accident. In this hour of grief, my thoughts are with the bereaved families.
The local administration is providing all possible help to the injured. May they recover soon.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓની બસને થયેલા માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફર વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી. તેમણે જણાવ્યું કે સ્થાનિક વહીવટ ઈજાગ્રસ્તોને તમામ શક્ય મદદ કરી રહ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
ત્રિશુલીયા ઘાટ નજીક રોડ અકસ્માતમાં જાનહાની થતાં મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. ઇજાગ્રસ્ત લોકો વહેલી તકે સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હું દિવ્ય આત્માઓ માટે સદગતની પ્રાર્થના કરૂ છું.
Saddened by the loss of lives due to a road accident near Trisulia Ghat (On Danta road). Instructed officials to do needful. May those who have been injured recover at the earliest. I pray for the departed souls.