ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે, જેમાં ઘણા ખેલાડીઓને સ્થાન ન મળતા નારાજગી દર્શાવી.
ભારતીય ટીમ આવનાર સમયમાં બે દેશોના પ્રવાશે
ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ ખેલાડીઓ સિલેક્ટ કર્યા
ઘણા નવા ખેલાડીઓને આ પ્રવાસથી દુર રખાયા છે
હાલ વિશ્વકપ ચાલી રહ્યો છે જે પૂરો થતા ભારતીય ટીમ બે દેશોના પ્રવાશે જવાની છે જેની જાહેરાત થઇ ચુકી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. કેટલાક સિનિયર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ઘણા યુવા ખેલાડીઓને બાંગ્લાદેશ પ્રવાસમાં જગ્યા મળી છે. જો કે આ શ્રેણીમાં ઘણા ખેલાડીઓને તક મળી નથી, ત્યારબાદ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
પૃથ્વી શૉ
સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા પૃથ્વી શૉને કોઈ ટીમમાં તક મળી નથી. ટીમની જાહેરાત બાદ પૃથ્વી શૉએ ઈન્સ્ટા સ્ટોરી પર સાઈ બાબાની તસવીર શેર કરી અને લખ્યું, 'આશા છે કે સાઈ બાબા તમે બધું જોઈ રહ્યા હશો.'
ઉમેશ યાદવ
ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર ઉમેશ યાદવને માત્ર ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ભલે તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો, પરંતુ ધ્યાન રાખો કે ભગવાન તમને જોઈ રહ્યા છે.'
નીતીશ રાણા
ટીમ ઈન્ડિયા માટે 1 ODI અને 2 T20 મેચ રમી ચૂકેલા નીતીશ રાણાની પણ આ સિરીઝમાં પસંદગી કરવામાં આવી નથી. ઇન્સ્ટા સ્ટોરી શેર કરતાં તેણે લખ્યું, 'HOPE એટલે પકડી રાખો, પીડાનો અંત આવે છે.'
રવિ બિશ્નોઈ
છેલ્લા કેટલાક સમયથી સતત ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહેલા રવિ બિશ્નોઈને પણ જગ્યા મળી નથી. એશિયા કપમાં તે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તેણે લખ્યું છે કે, 'વાપસી નિષ્ફળતા કરતાં હંમેશા મજબૂત હોય છે.'