T-20સીરિઝમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા પછી ટીમ ઇન્ડિયા વનડે અને ટેસ્ટ સીરિઝમાં પણ પોતાના દબદબો ચાલુ રાખવા ઇચ્છે છે. જોકે આ વચ્ચે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાને કારણે રમશે નહી.
મંગળવારે એટલે કે આજે બીસીસીઆઇએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ રમાવવામાં આવનારી 2 ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. આ સીરિઝમાંથી ઑપનર રોહિત શર્મા બહાર થઇ ગયો છે જેની જગ્યાએ મયંક અગ્રવાલને ચાન્સ મળ્યો છે.
રોહિત અંતિમ T-20માં ઇજાગ્રસ્ત થયો
રોહિતને કિવિઝ સામેની અંતિમ T-20માં રવિવારે માઉન્ટ મોનગાનુઈ ખાતે કાફ (પગના સ્નાયુ) ઇન્જરી થઇ હતી. તેણે કરિયરની 21મી ફિફટી મારી હતી, પરંતુ ઇજાના લીધે દોડવામાં તકલીફ પડતી હોવાથી 60 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. BCCIના એક અધિકારીએ ન્યુઝ એજેન્સીને કહ્યું કે, "રોહિત ઇજાના લીધે કિવિઝ સામે વનડે અને ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં." પહેલા વનડે ટીમમાંથી બહાર થયો અને હવે ટેસ્ટ ટીમમાંથી બહાર થઇ ગયો છે, તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં રમવાનો મૌકો મળ્યો છે. શિખર ધવન તો પહેલાથી ટીમમાં નથી ત્યારે હવે ઑપનિંગની જવાબદારી મયંક અગ્રવાલના માથે આવશે.
India’s Test squad: Virat (Capt), Mayank, Prithvi Shaw, Shubman, Pujara, Ajinkya Rahane (vc), Hanuma Vihari, Wriddhiman Saha (wk), Rishabh Pant (wk), R. Ashwin, R. Jadeja, Jasprit Bumrah, Umesh Yadav, Mohd. Shami, Navdeep Saini, Ishant Sharma (subject to fitness clearance).
તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૨ ટેસ્ટ મેચ રમાશે. પહેલી ટેસ્ટ 15 થી 21 ફેબ્રુઆરી જ્યારે બીજી ટેસ્ટ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રમાશે.