ઈંગ્લેન્ડમાં એક બાદ એક ત્રણ ખેલાઓને ઈજા થયા બાદ આ દરેકના રિપ્લેસમેન્ટ માટે શ્રીલંકા પ્રવાસમાંથી બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
ભારતના 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત
તેમના બદલામાં ખેલાડીઓના લિસ્ટ જાહેર
વન ડેમાં સારુ પ્રદર્શન કરવાનું આ બે ખેલાડીઓને મળ્યું ઈનામ
ભારતીય ક્રિકેટ ટીમ હાલ એક સાથે બે દેશોના પ્રવાસે છે. સીનિયર ખેલાડીઓ વાળી ટીમ ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડમાં હાજર છે. જ્યારે યુવાઓની ફોજ શ્રીલંકા પ્રવાસ પર છે. ઈંગ્લેન્ડમાં એક બાદ એક ત્રણ ખેલાઓને ઈજા થયા બાદ પસંદગીમાં આ દરેકના રિપ્લેસમેન્ટ માટે શ્રીલંકા પ્રવાસમાંથી બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શોને વન ડેમાં સારુ પ્રદર્શન કરવાનું ઈનામ આપવામાં આવ્યું છે.
શુભમન ગિલ સિરીઝ પહેલા જ ઈજાગ્રસ્ત
ઈંગ્લેન્ડના પ્રવાસ પર ગયેલી ટીમના ઓપનર શુભમન ગિલ સિરીઝ પહેલા જ ઈજાગ્રસ્ત થયા હતા જેવા કારણે તે પરત આવી ગયા હતા. ત્યાં જ પ્રેક્ટિસ મેચ વખતે ઈન્જર્ડ થયેલા નેટ બોલર આવેશ ખાન અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ઈજાના કારણે પ્રવાસથી બહાર આવવું પડ્યું હતું. શુભમનને શિન ફ્રેક્ચર થયું હતું અને જેના કારણે તેમને આવનાર અમુક મહિનાઓ સુધી મેદાનની બહાર બેસવું પડશે.
🚨 NEWS 🚨: Injury & replacement updates - India’s Tour of England, 2021
4 ઓગસ્ટથી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ
ભારતને ઈંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં રમવાનું છે. આવેશ ખાન કાઉન્ટી સલેક્ટ ઈલેવનની સાથે રવામાં આવેલા ભારતના પ્રેક્ટિસ મેચ વખતે પોતાની ટીમની વિરૂદ્ધ વિરોધી ટીમના પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતા. 9 ઓવરની બોલિંગ કર્યા બાદ તેમને ઈજા પહોંચી હતી. જ્યાર બાદ તે મેતમાંથી બહાર થઈ ગયા હતા. ત્યાં જ વોશિંગ્ટન સુંદર પણ આ મેચમાં વિરોધી ટીમની તરફથી રમવા મેદાનમાં ઉતર્યા હતા અને ઈજાગ્રસ્ત થવાના કારણે આ પ્રવાસમાંથી બહાર થઈ ગયા.