લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દરેક પાર્ટીમાં ઘણા ફેરફાર થઇ રહ્યા છે. દરેક પક્ષોએ પોત-પોતાની રીતે કમર કસી લીધી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પૂર્વે પાર્ટીના સંગઠનમાં કેટલાક ફેરફાર કર્યા છે.
જેના ભાગરૂપે દિગ્ગજ નેતાઓને કેટલીક વિશેષ જવાબદારીઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોંપી છે. પી.ચિદમ્બરમને ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. તો રાજીવ ગૌડાને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત એ.કે એંટનીને સંકલન સમિતિના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. તો જયરામ રમેશને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આનંદ શર્માને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. તો પવન ખેડાને સંયોજક તરીકે વરણી કરી છે.