કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ રાજ્યોમાં કોવિડ 19 રસીકરણના પ્રમાણપત્રો પર પ્રધાનમંત્રી મોદીની તસ્વીરો છપાવાની સર્વોચ્ચ પ્રાથમિકતા પર ફરીથી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
પાંચ રાજ્યોની ચૂંટણી પુરી થઈ ગઈ
ફરી એક વાર પીએમ મોદીની તસ્વીર લાગશે
વેક્સિન સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસ્વીર પાછી આવશે
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વિરુદ્ધ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તો વળી ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પુરી થતાની સાથે, કેન્દ્રએ રાજ્યોમાં કોવિડ-19ના રસીકરણના સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીનો ફોટો ફરી એક વાર લગાવાની યોજના બનાવી રહી છે.
આચાર સંહિતા લાગતા તસ્વીર હટાવી હતી
આપને જણાવી દઈએ કે, ચૂંટણીની તારીખોની જાહેરાત થતા અને આદર્શ આચાર સંહિતા લાગૂ થયા બાદ આઠ જાન્યુઆરીએ પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુરમાં રસીકરણ સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીની તસ્વીરો હટાવી દેવામાં આવી હતી.
સત્તાવારા સૂત્રોએ આપી જાણકારી
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ રાજ્યોમાં કોવિડ 19 રસીકરણના પ્રમાણપત્રો પર પ્રધાનમંત્રી મોદીની તસ્વીરો છપાવાની સર્વોચ્ચ પ્રાથમિકતા પર ફરીથી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, આ પાંચ રાજ્યોના લોકોને આપવામાં આવતા રસીકરણ પ્રમાણપત્રો પર પ્રધાનમંત્રીની તસ્વીર જોડવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફેરફારો કરવામાં આવશે.