ન્યૂ દિલ્હીઃ નોટબંધીનાં 2 વર્ષ વીત્યાં બાદ તે એક મોટો મુદ્દો બની ગયો છે. સંસદનાં શીતકાલીન સત્રમાં મંગળવારનાં રોજ નોટબંધીનો મુદ્દો છવાઇ રહ્યો. સરકારે આને લઇને પૂછવામાં આવેલ સવાલોનાં જવાબમાં સંસદને જણાવ્યું કે નોટબંધીવાળા વર્ષ 2016-17માં નોટોની પ્રિન્ટીંગનો ખર્ચ વધીને 7 965 કરોડ રૂપિયા સુધી થઇ ગયો હતો. 2017-18માં આ ખર્ચ 4912 કરોડ રૂપિયા થયો હતો.
નોટબંધી વેળાએ SBIનાં 3 કર્મચારીઓ 1 ગ્રાહકનું નિપજ્યું મોતઃ
સરકારે સંસદમાં એમ પણ સ્વીકાર કર્યો કે નોટબંધી બાદ SBIનાં ત્રણ કર્મચારીઓ અને લાઇનમાં લાગેલ એક ગ્રાહકનું મોત થઇ ગયું હતું.
નાણાંમંત્રી અરૂણ જેટલીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું કે નોટબંધી પહેલાં 2015-16માં નોટોની પ્રિન્ટીંગ પર 3421 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નોટોને દેશભરમાં મોકલવા મુદ્દે 2015-16 2016-17 અને 2017-18માં ક્રમશઃ 109 કરોડ 147 કરોડ અને 115 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.
જેટલીએ જણાવ્યું કે નોટબંધી દરમ્યાન SBIનાં 3 કર્મચારીઓ અને એક ગ્રાહકનું મોત થયાંની જાણકારી આપી. બેંકે મૃતકોનાં પરિવારજનોને વળતર રૂપે 44.06 લાખ રૂપિયા આપ્યાં. આમાંથી 3 લાખ રૂપિયા મૃતક ગ્રાહકનાં પરિવારજનોને આપવામાં આવ્યાં. સીપીએમનાં ઇ કરીમે નોટબંધી દરમ્યાન બેંકોમાં નોટ બદલવાવાળાઓની લાઇનમાં લાગેલ લોકોનાં મોતનો ખુલાસો માંગ્યો હતો. જેનાં જવાબમાં જેટલીએ આ વાત કરી.