સરકારી યોજનાઓનો લાભ ઊઠાવવા માટે નવું સિમ કાર્ડ લેવા માટે અથવા કોઇ નાના મોટા કામ માટે સૌથી પહેલા આધાર કાર્ડ જ માંગવામાં આવે છે. એવામાં જો આપણું કાર્ડ ખોવાઇ જાય તો ડરવાની જરૂર નથી.
આધાર કાર્ડ આપણા દરેક લોકો માટે સૌથી જરૂરી છે. સરકારી યોજનાઓનો લાભ ઊઠાવવા માટે નવું સિમ કાર્ડ લેવા માટે અથવા કોઇ નાના મોટા કામ માટે સૌથી પહેલા આધાર કાર્ડ જ માંગવામાં આવે છે. એવામાં જો આપણું કાર્ડ ખોવાઇ જાય તો ડરવાની જરૂર નથી. કારણ કે અમે તમને જણાવીશું કે તમે ઘરે બેઠા કેવી રીતે તમારું નવું આધાર કાર્જ પ્રિન્ટ કરાવી શકો છો. ખાસ વાત તો એ છે કે એના માટે તમારે મોબાઇલ નંબરની પણ જરૂર પડશે નહીં.
UIDAI ગ્રાહકોને ઘરે બેઠા સરળતાથી નવું આધાર કાર્ડ મંગાવવાની સુવિધા આપે છે, એ પણ મોબાઇલ નંબર વગર, આધાર કાર્ડને નિકાળવા માટે તમારે સૌથી પહેલા UIDAIની વેબસાઇટ પર જવું પડશે, જ્યાં તમારે ઑર્ડર આધાર રિપ્રિન્ટ સેવાનો વિકલ્પ મળશે. આ વિકલ્પને સિલેક્ટ કર્યા બાદ તમને એમાં આધાર નંબર જેવી જરૂર જાણકારી નાંખવી પડશે. ત્યારબાદ જ્યારે આ પ્રક્રિયા પૂરી થઇ જશે, એના 10 દિવસ બાદ નવું આધાર કાર્જ તમારા ઘરે આવી જશે.
આવી રીતે તમને ઘરે બેઠા જ સરળતાથી આધાર કાર્ડ મળી જશે. યૂઆઇડીએઆિની આ સેવાનો લાભ તમે સરળતાથી ઊઠાવી શકો છે. જણાવી દઇએ કે ઉચ્ચ ન્યાયાલયના નિર્દેશો મુજબ હેવ બેંકો, ફિનટેક કંપનીઓ, વીમા અને મોબાઇલ વૉલેટ માટે આધારનો પ્રયોદ ફરજિયાત નથી. પહેલાની જેમ હવે કંપનીઓ ઇ કેવાઇસી માટે આધારનો પ્રયોગ કરતી નથી.
જો કે સરકારી યોજનાઓ જેમ કે આયકર રિટર્ન, એલપીજી સબ્સિડી, પાન કાર્ડ, વોટર આઇડી કાર્ડ, પાસપોર્ટ, પેન્શન, રાશન વગેરે માટે આધાર નંબર આજે પણ ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે આ સેવાઓનો લાભ ઊઠાવી શકશો નહીં, આગામી વર્ષોમાં ઑફલાઇન આધાર કાર્ડના પ્રયોગને પણ મંજૂરી મળી શકે છે.