વડાપ્રધાન મોદીના મુખ્ય સલાહકાર અને પૂર્વ કેબિનેટ સચિવ પી.કે સિંહાએ અંગત કારણોસર પીએમઓ (વડાપ્રધાન કાર્યાલય)માંથી રાજીનામું આપી દીધું છે.
અંગત કારણોસર આપ્યું રાજીનામું
પીએમઓમાંથી પડ્યું બીજું રાજીનામું
આ પહેલા નૃપેન્દ્ર મિશ્રા રાજીનામું આપી ચૂક્યા છે
ટોચના સરકારી સૂત્રોએ સિંહાના રાજીનામાની પુષ્ટિ કરી છે.પી.કે સિંહાએ કયા કારણોસર રાજીનામું આપ્યું તે વિશે જાતજાતની અટકળો ચાલી રહી છે. 2019 ની લોકસભાની ચૂંટણી બાદ પીએમઓમાં તેમને મુખ્ય સલાહકાર પદે નિયુક્ત કરાયા હતા. આ પહેલા તેઓ કેબિનેટ સેક્રેટરી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. પીકે સિંહા 1978 ની યુપી કેડરના આઈએએસ અધિકારી છે.
પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા પણ રાજીનામું આપી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે પીએમઓમાંથી આ બીજું હાઈ પ્રોફાઈલ રાજીનામું છે. આ પહેલા પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા પણ રાજીનામું આપી ચૂક્યા છે.
જોકે સરકારની સત્તાવાર વેબસાઈટ પર હજુ પણ તેમનું જ નામ જોવા મળી રહ્યું છે. પીકે સિંહાએ અલ્હાબાદના આસી.કલેક્ટર તરીકે પોતાની કારકીર્દિની શરુઆત કરી હતી. 2013થી 2015 સુધી તેઓ પાવર સેક્રેટરી તરીકે સેવા આપી હતી.