કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. હજારો લોકોએ પોતાના જીવ કોરોના વાયરસના કારણે ગુમાવ્યા છે જ્યાં લાખો લોકો હજુ પણ જીવનમરણની લડાઈ લડી રહ્યા છે. કોરોના વાયરસે વિશ્વનાં ઘણા નેતાઓને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એવામાં મોદી સરકારના આયુષ રાજ્ય મંત્રીએ આયુર્વેદથી સાજા થઈ રહ્યો હોવાના દાવો કર્યા હોવાના મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતાં. જે બાદ મીડિયામાં આ અહેવાલ વહેતા બ્રિટનના પ્રિન્સના પ્રવક્તાએ સામે આવીને સ્પષ્ટતા આપવી પડી.
બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ જે કોરોના પોઝિટિવ છે અને હાલ સારવાર હેઠળ છે ત્યારે એવા સમાચાર વહેતા થયાં હતાં કે તેઓ આયુર્વેદથી સાજા થઈ રહ્યાં છે. પરંતુ રોયલ ફેમિલીના પ્રવક્તાએ આ વાતને નકારીને સમાચારને રદિયો આપ્યો હતો.
નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ પ્રિન્સ ચાર્લ્સને કોરોના થયો હતો. જે બાદ તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. આવામાં મીડિયા તરફથી એવા અહેવાલ આવ્યાં હતાં જેમાં મોદી સરકારમાં આયુષ રાજ્ય મંત્રી શ્રીપદ નાયકનો દાવો છે કે પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદ અને હોમિયોપેથીની દવાઓથી સાજા થઇ રહ્યા છે.
અહેવાલમાં કહેવાયું હતું કે શ્રીપદ નાયકે દાવો કર્યો કે શરૂઆતમાં લક્ષણો દેખાયા બાદ 71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સને આઈસોલેટ કરવામાં આવ્યા તેની સાથી જ બેંગ્લોરના ડૉ. ઇસહાક મથાઈના ત્યાંથી તેમની સારવાર માટે મદદ લેવામાં આવી. શ્રીપદ નાયકે દાવો કર્યો કે ડૉ. ઇસહાક મથાઈએ તેમને ફોન કરીને આ માહિતી આપી છે. ડૉ. ઇસહાક મથાઈ આયુર્વેદનું રિસોર્ટ ચલાવે છે.
જે બાદ શ્રીપદ નાઈકનો દાવો છે કે ડૉ. ઈસહાક મથાઈ જે પદ્ધતિથી ઉપચાર કરે છે તેના પર હવે ભારત સરકાર સંશોધન કરશે અને તેના માટે ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે. સાથે જ મંત્રાલયે આ ડૉ પાસે તેનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. જો કે આ સમાચાર વાયુવેગે સંપૂર્ણ વિશ્વમાં પ્રસરી જતાં આખરે બ્રિટનથી રોયલ ફેમિલી હરકતમાં આવ્યું હતું અને આ મામલે સ્પષ્ટતા જાહેર કરી હતી. પ્રિન્સ ચાર્લ્સના પ્રવકતાને જ્યારે આ વિષયમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ માહિતી ખોટી છે. તેમણે કહ્યું કે પ્રિન્સ માત્ર નેશનલ હેલ્થ સર્વિસ ઓફ યુનાઈટેડ કિંગડમની જ સલાહ માની રહ્યા છે.