બનાસકાંઠાના દિયોદર રાંટિલામાં પ્રાથમિક શાળાની શિક્ષિકાનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઈ છે. ઘરકંકાસને કારણે શિક્ષિકાનું મોત થયુ હોવાનું કહેવાઈ રહ્યુ છે. શિક્ષિકાને પતિ સાથે અવારનવાર ઝઘડા થયા હતા જેનો અંત આવો ભયંકર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દિયોદર રાંટીલામાં શિક્ષિકાનું શંકાસ્પદ મોત
પ્રા. શાળાની શિક્ષિકા સોનલ વાઘેલાનું મોત
ઘરમાંથી મળી આવ્યો શિક્ષિકાનો મૃતદેહ
બનાસકાંઠામાં એક શિક્ષિકાનું મોત ચર્ચાનું કારણ બન્યુ છે. દિયોદર રાંટીલામાં શિક્ષિકાનું શંકાસ્પદ મોત થયું. ઘરકંકાસ મોતનું કારણ બન્યો હોવાની ચર્ચાને પગલે કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. શિક્ષિકાનું મૃત્યુ રહસ્યમય રીતે થયુ છે.
પતિ સાથે વાતે વાતે થતો હતો કંકાસ
પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલ વાઘેલાનું મોત થયું છે. શિક્ષિકાનો મૃતદેહ ઘરમાંથી જ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો છે. મૃતક શિક્ષિકા ઇડર ગામની રહેવાસી હતી. શિક્ષિકા પાલડી ગામે પતિ સાથે રહેતી હતી. અવાર નવાર ગૃહકલેશ થતા હતો જેમાં પતિ સાથે વાદ-વિવાદ અને નાના-મોટા ઝઘડા થતા રહેતા હતા.