મોદી સરકારે કેન્દ્રીય વહીવટમાં એક મહત્વનો ફેરફાર કરીને PM ઓફિસને 15 વિભાગોમાં વહેંચી દીધું છે. આ વિભાગોની જવાબદારી સરકારના ટોચના 5 અધિકારીઓને આપવામાં આવી છે અને તેમની નીચે અન્ય અધિકારીઓની વરણી કરવામાં આવી છે. આ અધિકારીઓ દેશના પ્રિન્સિપલ સેક્રેટરી, NSA, PMના એડવાઈઝર જેવા અધિકારીઓના સંપર્કમાં રહીને PMને સતત પરિસ્થિતિથી માહિતગાર રાખશે.
આ 15 વિભાગોમાં ટેક્નોલોજી, ફાઇનાન્સ, અર્થતંત્ર, વહીવટ, માનવ સંસાધન, વિદેશનીતિ,સુરક્ષા, કૃષિ, ગ્રામ્ય, સમાજ કલ્યાણ, સામાજિક ન્યાય, એડમિનિસ્ટ્રેશન, માહિતી પ્રસારણ, સંસદ, RTI, મોનિટરિંગ, સંસાધનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ખાતાઓ અને તેને લગતા મંત્રાલયોને સમાવી લેવાયા છે.
આ 15 વિભાગોને સાંભળતા 5 અધિકારીઓ દેશના પ્રિન્સિપલ સેક્રેટરી, NSA, PMના એડવાઈઝર જેવા અધિકારીઓના સંપર્કમાં રહીને PMને સતત પરિસ્થિતિથી માહિતગાર રાખશે. તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી PK મિશ્રા, NSA અજિત દોવલ, PM એડવાઈઝર અમરજિત સિંહા અને ભાસ્કર ખુલબે જેવા અધિકારીઓને રિપોર્ટ કરશે. આ સિસ્ટમ 4 એપ્રિલથી અમલમાં મુકાશે.
પ્રિન્સિપલ સેક્રેટરી PK સિંહા ટેક્નોલોજી, વહીવટ, સંસાધનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ, અર્થવ્યવસ્થા જેવા વિભાગો સંભાળશે જે ગૃહ ખાતું, આધાર, ઇલેક્ટ્રોનિક્સ અને IT, પેટ્રોલિયમ, પાવર, માઇન્સ, રેલવે, સડકો, સિવિલ એવિએશન, શિપિંગ, નાણાંખાતું, નીતિ આયોગ, સ્ટીલ, લેબર અને કોમર્સ જેવા મંત્રાલયો સાથે સંકળાયેલા ટોપિક્સ છે. સિંહા પહેલા કેબિનેટ સેક્રેટરી રહી ચુક્યા છે.
આ તરફ વિદેશનીતિ અને સુરક્ષા વિભાગમાં ડિફેન્સ, વિદેશનીતિ, સ્પેસ, પરમાણુ ઉર્જા, NSCS NTRO જેવા મુદ્દામાં લેવામાં આવ્યા છે જેનું રિપોર્ટિંગ અજિત દોવલને કરવાનું રહેશે. બીજી બાજુ ગ્રામીણ વિકાસના સેક્રેટરી રહી ચૂકેલા અમરજિત સિંહાને સમાજ કલ્યાણ, કૃષિ, ગ્રામ્ય વિકાસ વગેરે જેવા વિભાગો સોંપવામાં આવ્યા છે જેમાં આરોગ્ય, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, કન્ઝ્યુમર્સ અફેર્સ, પ્રવાસન, સાંસ્કૃતિક, માનવ સંસાધન વગેરે મંત્રાલયો સંકળાયેલા છે.
ખુલબેને વહીવટ, એડમિનિસ્ટ્રેશન, મોનિટરિંગ જેવા વિભાગો સોંપ્યા છે જેમાં માહિતી અને પ્રસારણ, પાર્લામેન્ટરી અફેર્સ, RTI, ડિલિવરી મોનિટરિંગ યુનિટ જેવા ખાતાઓ સંકળાયેલા છે.
નોંધનીય છે કે આ તમામ અધિકારીઓની નીચે જોઈન્ટ સેક્રેટરી અને ડાયરેક્ટર અથવા ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના અધિકારીઓ પણ મુકવામાં આવ્યા છે જેમની યાદી ઉપરના દસ્તાવેજમાં જોઈ શકાય છે.