PM મોદીએ સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીને મોટી દિવાળી ભેટ આપી છે. તેઓએ 700 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કાશીમાં જે થઈ રહ્યું છે તે બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે. હવે કાશી સ્વાસ્થ્ય સુવિધાઓનું હબ બનવા જઈ રહ્યું છે. આ સાથે પીએમ મોદીએ વારાણસીના લોકો સાથે વાત કરી અને બાસ્કેટ બોલ પ્લેયર પ્રશાંતિ સાથે વાત પણ કરી.
PM મોદીનું સંસદીય ક્ષેત્ર છે વારાણસી
PM મોદીએ આપી કાશીને ભેટ
વારાણસીમાં નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો
પીએમએ અહીં ફરી એકવાર લોકોને લોકલ સામાન ખરીદવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું દીવા જ નહીં દરેક બાબતમાં લોકલ સામાનનો ઉપયોગ જરૂરી છે. મારી તમને ફક્ત અપીલ છે કે લોકલનો ઉપયોગ કરો. મારે બીજું કંઈ તમારી પાસેથી જોઈતું નથી.
गांव में रहने वाले लोगों को, गांव की ज़मीन, गांव के घर का, कानूनी अधिकार देने के लिए ‘स्वामित्व योजना’ शुरू की गई है। गाँवों में घर मकान को लेकर जो विवाद होते थे, इस योजना से मिले प्रॉपर्टी कार्ड के बाद उनकी गुंजाइश नहीं रह जाएगी: PM नरेंद्र मोदी https://t.co/pOf4WhsgO5
પીએમ મોદીએ કાશીની મોટી સમસ્યા લટકતા વીજળીના તારને ગમઆવી છે. પીએમ મોદીએ કહ્યું કે પહેલાં અહીં 12 ફ્લાઈટ્સ ચાલતી હતી. હવે તેમાં 4 ગણો વધારો થયો છે.
बाबतपुर से शहर को कनेक्ट करने वाली सड़क भी अब बनारस की नई पहचान बनी है। आज एयरपोर्ट पर 2 पैसेंजर बोर्डिंग ब्रिज का लोकार्पण होने के बाद इन सुविधाओं का और विस्तार होगा। 6 वर्ष पहले जहां बनारस से हर दिन 12 फ्लाइट्स चलती थीं, आज इससे 4 गुणा फ्लाइट्स चलती हैं: PM नरेंद्र मोदी pic.twitter.com/y5rnwGbzNl
પીએમ મોદીએ કાલે એક ટ્વિટમાં કહ્યું હતું કે વારાણસીની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ અધ્યાય જોડાશે. પીએમ મોદીએ લોકાર્પિત કરેલી યોજાઓમાં સૌથી આકર્ષક ભગવાન બુધ્ધના ઉપદેશ સ્થલી સારનાથના ધાર્મિક સ્તૂપ છે. અમિતાભ બચ્ચનના અવાજમાં સાઉન્ડ અને લાઈટનો શો છે. અડધો કલાકના લાઈટ અને સાઉન્ડ શોમાં બુદ્ધ ધર્મના વિકાસ અને સારનાથના મહત્વને દેખાડાશે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने यूपी मुख्यमंत्री योगी आदित्यनाथ की उपस्थिति में वाराणसी में वर्चुअल माध्यम से ₹614 करोड़ के विभिन्न विकास कार्यों का शिलान्यास व लोकार्पण किया। pic.twitter.com/MxwKRyRbJ2
સારનાથમાં વધશે પર્યટન
સૌથી મુખ્ય આકર્ષણ એ છે કે તેમાં વોઈસ ઓવર જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચનના અવાજમાં છે. કમિશ્નર દીપક અગ્રવાલે કહ્યું થે કે આ સાઉન્ડ અને લાઈટ શો ફક્ત પર્યટકો અને બૌદ્ધ ધર્મ માનનારા માટે સારો અનુભવ રહેશે. સાથે વારાણસીની અર્થવ્યવસ્થામાં પણ વૃદ્ધિ થશે.
महादेव के आशीर्वाद से काशी कभी थमती नहीं है। मां गंगा की तरह निरंतर आगे बढ़ती रहती है। कोरोना के कठिन काल में भी काशी आगे बढ़ती रही। कोरोना के खिलाफ बनारस ने जिस जीवटता से लड़ाई लड़ी है, इस मुश्किल समय में जिस सामाजिक एकजुटता का परिचय दिया है। वो बहुत प्रशंसनीय है: प्रधानमंत्री https://t.co/FK2xH0na53pic.twitter.com/FDHZnCjYsr
કોરોના કાળમાં કાશી અટકી નથી સતત કામ કરતી રહી છેઃપીએમ
પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં કાશી અટકી નથી સતત કામ કરતી રહી છે. યૂપીમાં કોરોના કાળમાં વિકાસના કામ રોકાયા નથી. યોગીજીની ટીમને અભિનંદન. વારાણસી શહેર વિકાસની યોજનાઓમાં આધુનિકતા તરફ પ્રગતિ કરી રહ્યું છે. હવે અહીના ઘાટની તસવીર બદલાઈ રહી છે. અનેકવિધ યોજનાઓ સાથે હવે સ્થાનિક રોજગાર પણ વધશે.
પીએમઓ તરફથી મળતી માહિતી અનુસાર પીએમ મોદી આ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે વાત કરશે. આ સમયે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. જે યોજનાનું ઉદ્ધાન થશે તેમાં સારનાથ લાઈટ એન્ડ સાઉન્ડ શો, લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલ રામનગરનું ઉન્નયન, સીવરેજ સંબંધિત કાર્ય, બુનિયાદી સુવિધાઓના સંરક્ષણ અને ગાયના સંરક્ષણ, બહુઉદ્દેશીય બીજ ભંડાર ગૃહ સામેલ છે.
આ યોજનાઓનું કરાશે લોકાર્પણ
આ પહેલાં યૂપી સરકારના એક પ્રવક્તાએ રવિવારે કહ્યું કે પીએમ સોમવારે 600 કરોડથી પણ વધારે રૂપિયાની 37 જેટલી યોજનાઓનું લોકાર્પણ કરશે. આ યોજનામાં નગર વિકાસ નિગમની 3 યોજનાઓ, પર્યટન વિભાગ અને લોક નિર્માણ વિભાગની 2-2 યોજનાઓ સામેલ છે. આ સિવાય ગૃહ, ઉર્જા, સ્વાસ્થ્ય અને ચિકિત્સા, ખેતી, ખેલ કૂદ, મહિલા અને બાળ વિકાસ તથા પંચાયતીરાજ વિભાગ અને ભારતીય વિમાન પતન પ્રાધિકરણની પણ 1-1 યોજના સામેલ છે. આ સિવાય પ્ધાનમંત્રી નગર વિકાસની 8 યોજનાઓ, આવાસ અને શહેરી નિયોજન, ગૃહ અને લોકનિર્માણ, પર્યટન તથા સૂક્ષ્મ અને લઘુ તથા મધ્યમ ઉદ્યોગ માટે આવાસ અને શહેરી નિયોજનની 1-1 યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કરાશે. આ સમયે ભાજપના મહાનગર અધ્યક્ષ વિદ્યાસાગર રાયે જણાવ્યું કે પીએમ સ્માર્ટ સીટી યોજનાના આધારે શગેરના વિકાસ માટે અલગ અલગ યોજનાનો શિલાન્યાસ કરશે.