પ્રધાનમંત્રી સિંચાઈ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકાય છે. ખેડૂતોને રજીસ્ટર્ડ ફર્મથી સ્પ્રિંકલર પાઈપ ખરીદવા બાદ બિલની સાથે અરજી કાર્યાલયમાં જમા કરવાની રહેશે.
2015માં પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાની થઈ હતી શરૂઆત
50 હજાર કરોડ રૂપિયાની સરકારે કરી છે ફાળવણી
જાણો તમે કઈ રીતે ઉઠાવી શકો લાભ
વર્ષ 2015માં પ્રધાનમંત્રી સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી. જેને હવે બે વર્ષ માટે વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે ખેતી કરતી વખતે ખેડૂતોને પાણીની કમી ન થાય માટે પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાને શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય સરકારે આ યોજના માટે 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
સ્પ્રિંકલર વિધિથી સિંચાઈ કરવા માટે સરકાર દ્વારા સતત 80થી 90 ટકાની છૂટ મળી છે. આ રીતે ખેતરને સમતલ કર્યા વગર સિંચાઈ કરી શકાય છે. ઢળ પર કે ઉંચાઈ પર આ પ્રક્રિયા ખૂબ પ્રભાવી થઈ રહી છે.
આ કારણે પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાનું એલાન થયું
આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં સિંચાઈ પ્રણાલીમાં રોકાણ આકર્ષિત કરવા, દેશમાં ખેતી યોગ્ય જમીનનો વિકાસ અને વિસ્તાર કરવો, પાણીનો વ્યય ઓછો કરવા માટે ખેતીમાં પાણીનો ઉપયોગ વધારવો, પાણીની બચત કરવા માટેની ટેક્નીકો અને યોગ્ય સિંચાઈને લાગુ કરવા માટે પ્રતિ બુંદ પાકમાં વૃદ્ધિ કરવાનું છે.
કોણ ઉઠાવી શકે છે પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાનો ફાયદો?
આ યોજનાનો લાભ ઉઠાવવા માટે ખેડૂતોની પાસે કૃષિ યોગ્ય ભૂમિ હોવી જોઈએ. આ યોજના આ યોજનાના પાત્ર લાભાર્થી દેશના દરેક વર્ગના ખેડૂત હશે.
PM Krishi Sinchai Yojana હેઠળ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ટ્રસ્ટ, સહકારી સમિતિ, ઈકોર્પોરેટેડ કંપનીઓ, ઉત્પાદક ખેડૂતોના ગૃપોના સદસ્યો અને અન્ય પાત્રતા પ્રાપ્ત સંસ્થાનોના સદસ્યોને પણ લાભ આપવામાં આવશે.
પીએમ કૃષિ સિંચાઈ સ્કીમ 2021નો લાભ એ સંસ્થાનો અને લાભાર્થીઓને મળશે જે ન્યૂનતમ વર્ષોથી Lease Agreement હેઠળ આ ભૂમિ પર ખેતી કરતા હોય. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પણ પાત્રતા પ્રાપ્ત કરવામાં આવી શકે છે.
કઈ રીતે મળશે પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાનો ફાયદો
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે ખેડૂતોને આધાર કાર્ડ, ઓળખ પત્ર, ખેડૂતોને જમીનના કાગળ, જમીનની જમા બંધી બેન્ક એકાઉન્ટ પાસબુક, પાસપોર્ટ સાઈઝ ફોટો, મોબાઈલ નંબરની જરૂરત હોય છે.
હવે સરકારે કેમ કર્યો નિર્ણય?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને આગળ વધવાની મંજૂરી મળી ગઈ છે. હવે આ યોજનાને વર્ષ 2025-26 સુધી આગળ વધારી દેવામાં આવ્યું છે.