દેશમાં રાજમાર્ગો અને રસ્તાઓનું નિર્માણ કરનાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દેવા હેઠળ દબાઇ ગયું છે. ઓથોરિટીની આ સ્થિતિ બાદ મોદી સરકારે એમને પત્ર લખીને હાઇવેના નિર્માણ પર રોક લગાવવા કહ્યું છે.
એક ન્યૂઝ ચેનલના સમાચાર અનુસાર ગત 5 વર્ષ દરમિયાન એનએચએઆઇનું દેવું સાત ગણું વધી ગયું છે. પીએમઓ તરફથી 17 ઓગસ્ટે લખવામાં આવેલ પત્રમાં કહેવામાં આવ્યું કે ઓથોરિટીએ બિન આયોજિત અને રસ્તાઓના વધુ પડતા વિસ્તારને કારણે નેશનલ હાઇવે ઓથોરિટીમાં પૂર્ણ રીતે અવરોધ પેદા થઇ ગયો છે.
તેમા કહેવામાં આવ્યું છે કે એનએચએઆઇએ ભૂમિની કિંમત કરતા વધુ ચૂકવણી કરવા બાયંધરી આપી. એના દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા રસ્તાઓની કિંમતમાં વધારો થયો. તેથી રસ્તાઓનો મૂળ ઢાંચો આર્થિક રૂપે અસ્થિર થઇ ગયો છે. બ્લૂમબર્ગના મળેલા દસ્તાવેજો અનુસાર વડાપ્રધાન મોદીના કાર્યાલયએ એનએચએઆઇને રોડ અસેટ્સ મેનેજમેન્ટ કંપનીના રૂપે બદલવાનો પ્રસ્તાવ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ મામલે એક સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે. પીએમઓ ઓફિસનો આ નિર્ણય પીએમ મોદીના પહેલા કાર્યકાળથી બિલકુલ વિરુદ્ધ છે. પહેલા કાર્યકાળમાં મોદી સરકારે દેશમાં હાઇવેના ઝડપી નિર્માણ માટે એનએચએઆઇની પ્રશંસા કરતા થાકતા નહોતા. સરકારનું કહેવું હતું કે ઓથોરિટીએ ભારતને દુનિયાની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા બનાવવામાં મદદ કરી છે.
એસબીઆઇ કેપ સિક્યોરિટીઝ લિમિટેડ અનુસાર વર્તમાન સમયમાં એનએચએઆઇ પર 1.8 ખરબ રૂપિયાનું દેવું છે. ઓથોરિટી તરફથી આ દેવા પર 140 અરબ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવણી કરવામાં આવી રહી છે.