ચીન સાથેના તણાવની વચ્ચે આજે PM મોદી વિયેતનામના PM ગુયેન જુઆન ફુચની સાથે ઓનલાઈન વાતચીત કરશે. આ વાતચીતમાં તેઓ બંને દેશોની વચ્ચે વ્યાપક રણનીતિક સાઝેદારી પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ચર્ચા કરશે.
PM મોદી વિયેતનામના PM સાથે કરશે ચર્ચા
ચીન સાથે તણાવ વચ્ચે ચર્ચા
PM ગુયેન જુઆન સાથે ચર્ચા
બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા
આ સમયે રક્ષા, ઉર્જા અને સ્વાસ્થ્ય ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોને વિસ્તાર આપવા માટે ભારત અને વિયતનામની વચ્ચે અનેક મોટી જાહેરાત થવાની શક્યતાઓ છે. મળતી માહિતી અનુસાર હિંદ પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ પર ચર્ચાની પણ શક્યતા છે. કેમકે બંને દેશોના મુક્ત, ખુલ્લા અને શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને નિયમ આધારિત ક્ષેત્રીય વ્યવસ્થામાં હિત છુપાયું છે.
प्रधानमंत्री नरेंद्र मोदी आज वीडियो कांफ्रेंसिंग के जरिए वियतनाम के प्रधानमंत्री के साथ बैठक करेंगे। pic.twitter.com/2qLKG3LsSF
બંઠકમાં બંને પત્ર ભારત - વિયતનામ સમગ્ર રણનીતિક સાઝેદારીના ભાવિ વિકાસ માટે સંયુક્ત પત્ર જાહેર કરાઈ શકે છે. તેનું લક્ષ્ય વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો માર્ગ નક્કી કરવાનું રહેશે. ભારત અને વિયતનામ 2016માં પોતાના દ્વિપક્ષિય સંબંધોને આગળ વધારીને સમગ્ર રાજનીતિક સાઝેદારી સુધી લઈ ગયા હતા અને રક્ષા સહયોગ પણ ઝડપથી વધતાં દ્વિપક્ષીય સંબંધોના ખાસ સ્તંભમાંનો એક રહ્યો છે.
2018માં PM મોદીએ લીધી હતી વિયતનામની મુલાકાત
આ પહેલાં વર્ષ 2018માં પીએમ મોદીએ વિયતનામની મુલાકાત લીધી હતી. આ સમયે ભારત અને વિયતનામના સંબંધો મજબૂત બન્યા હતા. આ પ્રવાસમાં ભારત અને વિયતનામની વચ્ચે વ્યાપક રણનીતિ સાઝેદારી પર સંધિ થઈ હતી. આ સંધિ અત્યાર સુધી વિયતનામના ફક્ત રશિયા અને ચીન સાથે કરાઈ હતી.
વિયતનામના રાષ્ટ્રપતિ અને PM પણ આવી ચૂક્યા છે ભારત
વર્ષ 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિયતનામના પ્રવાસ બાદ 2019માં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ વિયતનામ ગયા હતા. 2018માં વિયતનામના રાષ્ટ્રપતિ ત્રાન દાઈ અને પીએમ ગુયેન જુઆન ફુચ પણ ભારત આવ્યા હતા.