રાજ્યમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે દેશના વડાપ્રધાન આજે છેલ્લા દિવસે ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. તેઓએ આજ પાટણમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆતમાં સિદ્ધરાજ જયસિંહને યાદ કર્યા હતા અને કહ્યું કે, પાટણ સિદ્ધરાજ જયસિંહનું છે. સાથે જ તેમણે કીધું કે, આ ધરતી ગુજરાતની રાજધાની છે. આ સાથે તેમણે પોતાના પાટણ સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, પાટણ સાથે મારો નાતો રહ્યો છે.
પાટણ: રાજ્યમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે દેશના વડાપ્રધાન આજે છેલ્લા દિવસે ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. તેઓએ આજ પાટણમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆતમાં સિદ્ધરાજ જયસિંહને યાદ કર્યા હતા અને કહ્યું કે, પાટણ સિદ્ધરાજ જયસિંહનું છે. સાથે જ તેમણે કીધું કે, આ ધરતી ગુજરાતની રાજધાની છે. આ સાથે તેમણે પોતાના પાટણ સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, પાટણ સાથે મારો નાતો રહ્યો છે.
પહેલા હું પાટણમાં રોકાતો હતો અને સંઘનું કાર્ય કરતો હતો. જ્યારે હું ભાજપનું નહીં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્ય કરતો હતો ત્યારે અહીંના સાહેબને મળતો હતો તેમણે મને અર્થશાસ્ત્ર શીખવાડ્યું છે અને જ્યારે મને સરકારનો સ પણ ખબર નહોંતી, સીધા મુખ્યમંત્રીના શપથ લીધા'તા ત્યારે અહીંથી શીખેલ તમામ બાબતો મેં મારા કામકાજમાં લગાવી. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતનો કોઇ ખુણો એવો નહીં હોય જેની અસર મારા મંદિરમાં ન હોય.
હું ભલે અમેરિકાના વડાને મળતો હોય તે ચીનના રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવતો હોય, મોદી ભલે અચ્છા-અચ્છાને મળતો હોય પરંતુ જ્યારે તમે હાથ મિલાવો ત્યારની મજા જ કાંઇક અલગ છે. તેની ખુમારી જ અલગ છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ઉત્તર ગુજરાતે મને મોટો કર્યો છે. અહીં વીરમાયાની ટેકરીની ચર્ચાઓ થતી હતી. આ સાથે જ રાણકી વાવની જાહોજલાલી છે. આપને જણાવી દઇએ કે, આજે લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થવાના છે ત્યારે વડાપ્રધાને પાટણમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.