મહારાષ્ટ્ર સરકારના મંત્રી જયંત પાટિલે મંગળવારે કહ્યું કે રાજ્ય સરકાર એ જાણવાની કોશિશ કરી રહી છે કે, રાજ્ય પર '4 લાખ 71 હજાર કરોડ રૂપિયાનું દેવુ' જોતા શું બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટને ટાળી શકાય છે.
જયંત પાટિલે કહ્યું, રાજ્ય પર ચાર લાખ 71 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ખર્ચ કરશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન સહીત રાજ્યમાં ચાલુ તમામ પ્રોજેક્ટની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.
જયંત પાટિલે એક ટીવી ચેનલને કહ્યું કે, 'રાજ્ય પર ચાર લાખ 71 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. અમે એ વાતની સમીક્ષા કરી રહ્યા છીએ કે રાજ્યના વિકાસ માટે કયો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે અને શું બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ બાદના ચરણ માટે રાખવામાં આવી શકે છે'.
તેઓએ કહ્યું કે આ પ્રોજેક્ટ પર અમલ અને રાજ્ય સરકારને તેના માટે કેટલા પૈસા ચૂકવવા પડશે, તેના પર વિચાર કરવા માટે સરકારે એક બેઠક બોલાવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ખેડૂતો અને આદિવાસીઓના વિરોધનો સામનો કરવો પડ્યો છે, કેમકે એ માટે તેમની ભૂમિનું અધિગ્રહણ કરવામાં આવશે.
નોંધનીય છે કે, જાપાન ભારતને આ પ્રોજેક્ટ માટે સસ્તી લોન અપાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ પર લગભગ એક લાખ રૂપિયાનો ખર્ચ નક્કી કરાયો છે. જાપાને કહ્યું કે ભારત 2050 સુધી લોન આરામથી ભરી શકે છે. ખાસ વાત એ છે કે, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર પણ આ પ્રોજેક્ટ પર ખર્ચ કરશે.
રાજ્યથી બીજેપી સત્તાથી બહાર થઇ ચૂકી છે અને શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મળીને સરકારનું ગઠન કર્યું છે. સરકારનું કહેવું છે કે, તેમના માટે ખેડુત વધારે મહત્વપૂર્ણ છે. શિવસેના તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પ્રોજેક્ટથી વધારે ફાયદો નથી તેથી તેના પર આગળ વધવું જોઇએ નહીં.