પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શનિવારે 15 દિવસીય રક્તદાન અભિયાન શરુ થયું છે.
પીએમ મોદીના જન્મદિવસ પર વર્લ્ડ રેકોર્ડ બન્યો
એક જ દિવસમાં સૌથી વધારે લોકોએ કર્યું રક્તદાન
રક્તદાન માટે અભિયાન શરુ થયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શનિવારે 15 દિવસીય રક્તદાન અભિયાન શરુ થયું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 87137 લોકોએ રક્તદાન કર્યું છે, જે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે. અત્યાર સુધીમાં એક દિવસમાં 86000 લોકોએ રક્તદાન કર્યું હતું, જે વિશ્વ રેકોર્ડ હતો. આ અગાઉ રક્તદાન અભિયાન અંતર્ગત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં બનેલી એક શિબિરમાં રક્તદાન કર્યું હતું.
Today, I am happy to share that on the birthday of Prime Minister Narendra Modi, under #RaktdaanAmritMahotsav, more than 87 thousand people have voluntarily donated blood, which is a new world record: Union Health Minister Mansukh Mandaviya pic.twitter.com/4ZDoaI7PnA
કેન્દ્રીય મંત્રીએ લોકોને રક્તદાન અમૃત મહોત્સવ અંતર્ગત રક્તદાન કરવા માટે આરોગ્ય સેતૂ એપ અથવા ઈ રક્તકોષ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવાનો અનુરોધ કર્યો હતો. આ મહોત્સવ એક ઓક્ટોબર-રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ સુધી મનાવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રક્તદાનની અપીલ કરી
માંડવિયાએ કહ્યું કે, રક્તદાન એક મહાન કામ છે અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને સેવા તથા સહયોગની પરંપરાને જોતા, તમામ નાગરિકો આગળ આવે અને દેશભરમાં વિશાળ સ્વૈચ્છિક રક્તદાન અભિયાન-રક્તદાન અમૃત મહોત્સવ તરીકે રક્તદાન કરવાની અપીલ કરુ છું. રક્તદાનથી ન ફક્ત રાષ્ટ્રીય જરુરિયાત પુરી થાય છે, પણ આ સમાજ તથા માનવતા પ્રત્યે એક મોટી સેવા પણ છે.
તેમણે સ્વૈચ્છિક રક્તદાનના મહોત્સવ પર ભાર આપતા કહ્યું કે, રક્તદાન અમૃત મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવના જશ્ન સમારંભનો ભાગ છે.