વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોગ પુરસ્કાર એનાયત કર્યાં. આ અવસર 10 આયુષ કેન્દ્રનું ઉદ્ધાટન પણ કર્યું. પીએમ મોદીએ આ અવસર પર સંબોધન કરતાં કહ્યું કે હું યોગ પ્રચાર કરનારાઓનું સમ્માન કરુ છે. યોગથી સુખ અને સમૃદ્ધિ આવે છે.
દેશમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆતના બીજા દિવસે આયુષ અને યોગ સાથે જોડાયેલા કાર્યક્રમમાં આવવું એક અદ્દભુત સંયોગ છે. આયુષ અને યોગ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના 2 મહત્વપૂર્ણ સ્તંભ છે.
પીએમ મોદીએ કહ્યું કે યોગ, પ્રાણાયામ અને આયુર્વેદ આ ત્રણેયનો હું ભરપુર ઉપયોગ કરુ છું. આજે મને યોગના સાધકો, યોગની સેવા કરનારાઓ અને દુનિયાભરમાં યોગનો પ્રચાર કરનારા સાથીઓ અને સંગઠનોને પુરસ્કાર આપવાની તક મળી છે.
જેમાં ભારત સાથે ઇટાલી અને જાપાન જેવા દેશના લોકો અને સંગઠન પણ સામેલ છે. પુરસ્કાર મેળવનારાઓને હું અભિનંદન આપુ છું. અત્યાર સુધીમાં આપણા દેશમાં મોટા-મોટા નામ જે ટીવી પર ચમકતા હોય તેવા અથવા તો નેતાના નામ પર પોસ્ટની ટીકીટ બનતી હતી. આયુર્વેદ માટેના લોકો પર પણ પોસ્ટ ટીકીટ બની શકે છે? આ જ ફેરફાર જોવા મળી રહ્યો છે ન્યૂ ઇન્ડિયામાં.
પીએમ મોદીએ આયુષ્ય સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રને લોન્ચ કરતાં કહ્યું કે આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, સિદ્ધ, યૂનાની અને હોમયોપેથી પછી 'સેવા-રિગ્પા' આયુષ પરિવારનું છઠ્ઠુ સભ્ય બની ગયું છે. આજે હરિયાણામાં આયુષ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રને લોન્ચ કરવામાં આવ્યું છે.
Prime Minister Narendra Modi at a programme of AYUSH Ministry in Delhi: There is a target to build 12,500 AYUSH centers across the country, of which 10 AYUSH Health & Wellness Centers have been inaugurated today. Our aim is that 4,000 such AYUSH centers should be set up this year pic.twitter.com/VSsmgdK93S
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્લીના વિજ્ઞાનભવનમાં યોગ ક્ષેત્રે ફાળો આપનારા યોગ ગુરુઓને સમ્માનિત કર્યા. તેમાંથી કેટલાક યોગ ગુરુને પુરસ્કાર પણ આપવામાં આવ્યા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ 12 હસ્તિઓના સમ્માનમાં ટપાલ ટિકિટ જાહેર કરી છે. PM મોદીએ કહ્યું કે યોગથી સુખ અને સમૃદ્ધિ આવે છે. યોગ વર્ષો જૂની પરંપરા છે.