સોમનાથ મંદિર નજીક સમુદ્ર કિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, TFC ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ, તેમજ અહલ્યાબાઈ મંદિર પરિસરના વર્ચ્યુલ લોકાર્પણ થવાની તૈયારીઓ શરૂ
સોમનાથમાં નવા વૉકવે અને અહલ્યાબાઈ સોમનાથ મંદિરનું નિર્માણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટૂંક સમયમાં કરાશે લોકાર્પણ
સોમનાથમાં શ્રાવણ માસમાં યાત્રીઓ માટે અનેક સુવિધામાં વધારો
સોમનાથમાં શ્રાવણ માસમાં યાત્રીઓ માટે અનેક સુવિધામાં વધારો થયો. જેવી કે વોક-વે, અહલ્યાબાઈ મંદિર અને પાર્વતી મંદિર નિર્માણ બાદ વર્ચ્યુઅલ લોકાર્પણ દેશનાં વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી દિવસોમાં થશે.
શ્રાવણ માસની શરૂઆત થઈ જશે અને પ્રભાસક્ષેત્ર શિવમય બની જશે. ચારેય તરફ હરહર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. એવામાં કરોડો હિન્દુનાં આસ્થાનું કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને તેની આસપાસ યાત્રીઓની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. સોમનાથ મંદિર નજીક સમુદ્ર કિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, TFC ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ, તેમજ અહલ્યાબાઈ મંદિર પરિસરનું ડેવલોપમેન્ટ થયું છે. સાથે સાથે સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતીજીના મંદિરનું નિર્માણનું આવનારા દિવસોમાં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને પીએમ નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ થવાની તૈયારીઓ થઈ રહી છે. જોકે ટ્રસ્ટના મેનેજરના જણાવ્યા મુજબ તારીખ નક્કી થતા જ આ તમામ સુવિધા ઓનું પીએમના હસ્તે લોકાર્પણ થશે.
છેલ્લા ઘણા વર્ષોમાં સોમનાથ મંદિર આસપાસ યાત્રીઓ માટે અનેક સુવિધા ઓમાં વધારો થયો છે. તો સાથે સાથે સોમનાથ મંદિર નજીક ત્રિવેણી પાસે શ્રીરામ મંદિરનું પણ નિર્માણ થયું છે. ત્યારે સોમનાથ મંદિર પરીસરમાં ભવ્ય શક્તિ પીઠ પાર્વતીજી મંદીરનું પણ નિર્માણ કરવામાં આવશે. જેનો અંદાજે ખર્ચ રૂપિયા 20 કરોડ હશે. અને આ પાર્વતી મંદિર સોમનાથ મંદિર પરિસરમાં જૂની ચોપાટી નજીક અને હાલનાં યજ્ઞ મંડપ નજીક સફેદ માર્બલનું ભવ્ય પાર્વતી મંદીર બનશે.
તો સોમનાથ મંદિરથી ત્રિવેણી ઘાટ સુધી 1600 મીટર જેટલો લાંબો કરોડોના ખર્ચે વોકવે બનાવવામાં આવ્યો છે. આ વોકવે પરથી સોમનાથ મંદિરનાં બહારી ભાગના દર્શન પણ યાત્રીઓને થઈ શકશે. તો સમુદ્ર દર્શન પણ થઈ શકશે.અનેક યાત્રીઓ આજે પણ આ વોકવે પર આવે છે અને આહલાદક વાતાવરણ અને દિવ્યદર્શનનો આનંદ મળે છે.
વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસર અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર બની રહ્યું છે. ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા 1783માં સ્થાપના કરવામાં આવી હતી. જે જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતું હતું. 1703મા સોમનાથ મંદિર પર આક્રમણ કરી ધ્વસ્ત કર્યું હતું. આથી અહલ્યાબાઈએ આ મંદિર એવી રીતે બનાવ્યું હતું કે, વિધર્મી આક્રમણખોરોને ખ્યાલ જ ન આવે ભૂગર્ભમાં સ્વયંભૂ દાદા સોમનાથ શિવલિંગની ફરતે દીવાલ બનાવી ઉપરના ભાગે એક નાનકડું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. અહલ્યાબાઈ શિવભક્ત હતા. ભૂગર્ભમા જે શિવ મંદિર છે તેમા જવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો. આથી હાલ આ મંદિરનું રીનોવેશન કરવામાં આવ્યું છે. દર્શન માટેનો રસ્તો પહોળો કરવામાં આવ્યો અને મંદિર પરિસરમાં અહલ્યાબાઈનું સ્ટેચ્યુ પણ મુકવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જ સોમનાથમાં ઉભી કરવામાં આવેલી અનેક સુવિધાઓનું લોકાર્પણ દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે.